ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો!

“ખેડૂત પરેશાન”
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ ખેતીવાડી બજાર સમિતિ ખાતે થોડું તો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ઓનલાઇન 2500 જેટલા ફોર્મ ભર્યા હતા 1400 ફોર્મ જેને લઈને ખેડૂતો કર્યો વિરોધ જુવાર બાજરી અને મકાઈ 44 ડિગ્રી તાપમાનમાં ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો ખેડૂતોના પૂરતા પુરાવા નથી આમ કરીને 1400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે સરકાર અને વેપારીઓ ખેડૂતોને હેરાન કરતા હોય એવું લાગી રહ્યું છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ ચોમાસાની તૈયારી હોય જો માલ વેચાય નહીં તો બીજું વાવેતર કેવી રીતે કરીશું કે મૂંઝવણમાં છે
સરકાર વહેલી તકે તેનો નિર્ણય ખેડૂતોની માંગ છે
ડભોઇ તાલુકામાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ (MSP) પર યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ડભોઇ તાલુકાના અંદાજે 2500 જેટલા ખેડૂતો દ્વારા સરકારશ્રીના પોર્ટલ પર નિયમ મુજબ ઓનલાઇન નોંધણી કરવામાં આવી હતી. નોંધણી દરમિયાન પોર્ટલમાં માંગવામાં આવેલી તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ રીતે અપલોડ કર્યા બાદ જ નોંધણી સ્લિપ આપવામાં આવી હતી.

પરંતુ આખરે સરકારશ્રી અને ખરીદી વ્યવસ્થામાં બેઠેલા જવાબદારઅધિકારીઓની બેદરકારીના કારણે ડભોઇ તાલુકાના અંદાજે 1400 જેટલા ખેડૂતોને અચાનક બ્લોક કરી દેવામાં આવ્યા હતા. ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે “8-A” દસ્તાવેજના અભાવે નોંધણી રદ કરવામાં આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નોંધણી પ્રક્રિયા દરમિયાન સરકારના પોર્ટલમાં “8-A” દસ્તાવેજ ફરજિયાત તરીકે માંગવામાં આવ્યો જ નહોતો, તેમ છતાં બાદમાં ખેડૂતોને આ જ કારણ બતાવી બહાર કરી દેવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકારશ્રીની ગેરવ્યવસ્થા અને ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે ફરી એકવાર ખેડૂત હિત રક્ષક સમિતિ ખેડૂતોના વહારે આવી છે. સમિતિના આગેવાનો ધવલ પટેલ, દીક્ષિત પટેલ, મેહુલ પટેલ, ગૌરાંગ પટેલ, ભરત પટેલ અને વિષ્ણુ પટેલ દ્વારા સતત ખેડૂતોનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ખરીદી પ્રક્રિયા સરકારના જાહેર કાર્યક્રમ મુજબ તારીખ 1/5/2026થી શરૂ થવાની હતી, પરંતુ તારીખ 20/5/2026 સુધી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતો આર્થિક રીતે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જુવારનો પાક તૈયાર હોવા છતાં ખરીદી શરૂ ન થતાં ખેડૂતોને બજારમાં ઓછી કિંમતે પાક વેચવાની ફરજ પડી રહી છે.ખેડૂત હિત રક્ષક સમિતિએ કડક ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં ખેડૂતોને ન્યાય નહીં મળે અને MSP હેઠળ ખરીદી પ્રક્રિયા તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. ખેડૂતો સાથે થઈ રહેલા આ અન્યાય સામે હવે ખેડૂત સમાજ રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે.સમિતિએ માંગ કરી છે કે:8-Aના બહાને બ્લોક કરાયેલા તમામ ખેડૂતોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવેMSP જુવાર ખરીદી તરત શરૂ કરવામાં આવેજવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેખેડૂતોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં આવે
ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતો માટે યોજનાઓ જાહેર તો કરે છે, પરંતુ જમીન સ્તરે અધિકારીઓની બેદરકારી અને ખોટી કામગીરીના કારણે ખેડૂતોને ફાયદા બદલે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
