Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ
ગુજરાત

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

Rajeshkumar Jadav
Last updated: July 27, 2026 6:39 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

શાળા, મસ્જિદ, સમાજવાડી અને બજાર વિસ્તાર વચ્ચે કચરાના ઢગલા; દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ, તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ

 

કેપિટલ મેસેજ

More Read

રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી

Capital message

સમી તાલુકા મથકના સમી ગામના મધ્ય વિસ્તારમાં જાહેર સ્થળે ઉકરડાના મોટા ઢગલા થતાં સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ગામના સૌથી વધુ અવરજવર ધરાવતા વિસ્તારમાં કચરો, ગંદુ પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી કચરાનો યોગ્ય નિકાલ ન થતાં લોકોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ સ્થળની આસપાસ સમી તાલુકા પ્રાથમિક કુમાર શાળા, શિક્ષણ સંકુલ, મેમણ સમાજની મસ્જિદ, ઠક્કર લોહાણા સમાજવાડી તેમજ અન્ય જાહેર સ્થળો આવેલા છે. દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે, સમાજના લોકો ધાર્મિક કાર્યક્રમો માટે તેમજ ગામ અને આસપાસના વિસ્તારોમાંથી અનેક લોકો સામાજિક પ્રસંગોમાં ભાગ લેવા માટે અહીંથી અવરજવર કરે છે. આવી સંવેદનશીલ જગ્યાએ ગંદકીના ઢગલા જોવા મળતા સ્વચ્છતા અભિયાનના દાવાઓ સામે પણ સવાલો ઊભા થયા છે.

More Read

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન
ચોમાસામાં નર્મદા કોરીકટ: ચાંદોદના ઘાટ સૂકા!

જાહેર સ્થળે પડેલા કચરાના ઢગલા અને ગંદા પાણીના કારણે મચ્છર તથા જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ સહિતના ચેપી રોગો ફેલાવાનો ભય પણ સ્થાનિકોમાં વ્યાપ્યો છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે.

ગંદકીની બાજુમાં આવેલી જૂની ટ્રેઝરીની ઇમારત પણ વર્ષોથી જર્જરિત અને ખંડેર હાલતમાં છે. આ ઇમારત સલામતીની દૃષ્ટિએ પણ જોખમી બની રહી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તેવી પણ લોકોમાં ભીતિ જોવા મળી રહી છે.

સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ જણાવ્યું છે કે ગામમાં નિયમિત અને અસરકારક સફાઈ વ્યવસ્થા ન હોવાના કારણે જાહેર સ્થળોએ કચરો એકઠો થતો રહે છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ અંગે સમી વેપારી એસોસિએશનના પ્રમુખ ભીખાલાલ એમ. પરમારએ વેપારીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપવામાં આવેલી કચરાપેટીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. દુકાનોની સફાઈ બાદ કચરો રસ્તા પર ફેંકવાના બદલે કચરાપેટીમાં જ નાખવામાં આવે, જેથી ગામની સ્વચ્છતા જળવાઈ રહે અને ગંદકીનું પ્રમાણ ઘટે.

સ્થાનિક સ્તરે એવી પણ માહિતી સામે આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામગીરી માટે રાખવામાં આવેલા સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપી રહ્યા છે અને તેમને પૂરતું વેતન તેમજ સરકારના નિયમો મુજબના લાભો મળતા નથી. ગ્રામજનોએ માંગ કરી છે કે સફાઈ કામદારોને કાયમી નિમણૂક આપવામાં આવે, તેમને નિયમિત વેતન અને સરકારી લાભો આપવામાં આવે તેમજ આ બાબતે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય દરખાસ્ત મોકલવામાં આવે.

More Read

ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!
વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ
રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર
સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ તંત્રને ચેતવણીરૂપ અપીલ કરી છે કે જાહેર સ્થળેથી કચરાના ઢગલાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, નિયમિત સફાઈની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જૂની ટ્રેઝરીની જોખમી ઇમારત અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ગામને સ્વચ્છ તથા આરોગ્યપ્રદ બનાવવાના દિશામાં તાત્કાલિક અસરકારક પગલાં ભરવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચર્ચા ગામમાં ચાલી રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

ગુજરાત

ભરતભાઈ ચાવડા જિલ્લા કિસાન મોરચા મંત્રી બન્યા

ગુજરાત

રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી

ગુજરાત

ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી

ગુજરાત

ખેતરનો રસ્તો બંધ: ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video