ફાટક પર ઓવરબ્રિજનું કામ અધ્ધરતાલ!

ડભોઇ તાલુકાના પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજનું કામ અધ્ધરતાલ, ટ્રાફિક જામથી મુસાફરો બેહાલ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ બન્યો ‘માથાનો દુખાવો ૧૫ દિવસથી કામ બંધ રહેતા પ્રજામાં રોષ
ડભોઇ તાલુકાના પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા એક મહિનાથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ અગમ્ય કારણોસર છેલ્લા ૧૫ દિવસથી આ કામગીરી સંપૂર્ણપણે બંધ પડી છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો મુસાફરો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.મુખ્ય આકર્ષણો અને ટ્રાફિકની સમસ્યા વીકેન્ડનો ભારે ઘસારો:
આ માર્ગ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ને જોડતો મુખ્ય રસ્તો છે. આ ઉપરાંત રાજપીપળા, ચાણોદ-કરનાળી, પોઇચા અને વઢવાણા જેવા પ્રવાસન સ્થળોએ જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ થાય છે. શનિ-રવિની રજાઓમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે.

૧.૫ કિલોમીટર લાંબી કતારો: જ્યારે પણ રેલવે ફાટક બંધ થાય છે, ત્યારે રોડની બંને તરફ દોઢ-દોઢ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. આજે સવારે પણ કલાકો સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિકો અટવાયા હતા. તંત્ર દ્વારા કામ તો શરૂ કરાયું પણ તે અધવચ્ચે અટકાવી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધૂળની ડમરીઓ અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઓવરબ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવામાં આવે.યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી માર્ગ ખુલ્લો મુકવામાં આવે વૈકલ્પિક વ્યવસ્થા અથવા ટ્રાફિક પોલીસનું ચુસ્ત નિયમન કરવામાં આવે જેથી જામ ન સર્જાય એક તરફ સરકાર પર્યટનને વેગ આપવાની વાત કરે છે ત્યારે બીજી તરફ પ્રવાસન સ્થળોને જોડતા મુખ્ય માર્ગો પર વહીવટી નિષ્કાળજીને કારણે પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહે છે. આ માથાના દુખાવા સમાન ફાટકથી ક્યારે મુક્તિ મળશે.
રિપોર્ટ :ફઝલ રઝાક ખત્રી, ડભોઈ