Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં દિવાસા પર્વે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાંથી દેવીપૂજકો ઉમટ્યા
ધર્મ ભક્તિ

પાટણમાં દિવાસા પર્વે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાંથી દેવીપૂજકો ઉમટ્યા

Rajeshkumar Jadav
Last updated: August 11, 2026 11:34 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
5 Min Read
SHARE

પાટણમાં દિવાસા પર્વે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાંથી દેવીપૂજકો ઉમટ્યા

અષાઢ વદ ચૌદસે પાટણની સ્મશાનભૂમિમાં શ્રદ્ધાનો મહાસંગમ: 30થી વધુ બસોમાં હજારો સમાજજનો પહોંચ્યા, સાત પેઢીથી ચાલી આવતી પૂર્વજ સ્મરણની પરંપરા જળવાઈ

 

કેપિટલ મેસેજ

More Read

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ
ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

Capital message

પાટણ શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢ વદ ચૌદસના પવિત્ર દિવસે દેવીપૂજક-પટણી સમાજના મહાપર્વ ‘દિવાસા’ની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વજોના સ્મરણ, પરિવારની લાગણી, સમાજની એકતા અને સેવાભાવ સાથે જોડાયેલા આ અનોખા પર્વમાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં સમાજજનો પાટણ પહોંચ્યા હતા. વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ બસો મારફતે પણ શ્રદ્ધાળુઓ પાટણ આવ્યા હતા, જેના કારણે શહેરની સ્મશાનભૂમિ અને આસપાસના વિસ્તારોમાં દિવસભર શ્રદ્ધા અને લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો.

 

More Read

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.
પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.
ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા
શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ

પાટણ સાથે દેવીપૂજક સમાજની ઐતિહાસિક આસ્થા

 

દેવીપૂજક સમાજ સાથે પાટણનું ઐતિહાસિક અને લાગણીસભર જોડાણ માનવામાં આવે છે. સમાજના અનેક પરિવારોના પૂર્વજોની અંતિમક્રિયા પાટણ ખાતે થઈ હોવાથી દેશ-વિદેશ તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વસતા સમાજજનો અષાઢ વદ ચૌદસે પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા પાટણ આવે છે.

 

પાટણ ખાતે પ્રથમ દિવાસો ઉજવ્યા બાદ અષાઢ વદ અમાસના દિવસે લોકો પોતાના વતન અને વસવાટના સ્થળોએ આ પર્વની ઉજવણી કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ નવી પેઢી સુધી જળવાઈ રહી છે.

 

More Read

15મી ઓગસ્ટે ગુપ્તેશ્વર મહાદેવની મહાપૂજા કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના
શ્રી રવિદાસ મહારાજની કળશયાત્રા નું સિદ્ધપુરમાં ભવ્ય સ્વાગત
પી.પી.જી. હાઇસ્કૂલમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
સિદ્ધપુરમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ

સમાધિ પર દીવો-અગરબત્તી પ્રગટાવી ભાવભીની અંજલિ

પાટણ શહેરના ફુલણીયા હનુમાન મંદિર નજીક બકરાતપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહ તેમજ હડકમાઈ માતાજીના મંદિર અને પીતાંબર તળાવ પાસે આવેલી સ્મશાનભૂમિ ખાતે મોટી સંખ્યામાં સમાજજનો પહોંચ્યા હતા.

 

જે સ્થળે તેમના સ્વજનોની અંતિમક્રિયા થઈ હોય ત્યાં આવેલી સમાધિ પર પરિવારજનો દ્વારા દીવો, અગરબત્તી, ફૂલહાર, શ્રીફળ, ફળ-ફૂલ, ખાજા-ખમણ, જવાળાઓ તથા દૂધ અર્પણ કરી પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખાસ કરીને નાની ઉંમરે મૃત્યુ પામેલા બાળકોની સમાધિ પર દૂધ અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાની પરંપરા પણ જોવા મળી હતી.

 

સમાધિ પાસે પરિવારજનો ભાવુક બન્યા હતા. ક્યાંક આંખોમાં આંસુ તો ક્યાંક પૂર્વજોના સંસ્મરણો વચ્ચે પરિવારજનો એકબીજાને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. રૂદન, સમર્પણ, શ્રદ્ધા અને સામાજિક એકતાનો અનોખો સંગમ દિવાસા પર્વની આગવી ઓળખ બની રહ્યો હતો.

 

સાત પેઢીથી પૂર્વજોને યાદ કરવાની પરંપરા

 

સમાજના અગ્રણી દિનેશભાઈ પટણીએ જણાવ્યું હતું કે સાત પેઢીથી પૂર્વજોને આ રીતે યાદ કરવાની પરંપરા જળવાઈ રહી છે. આ પર્વ માત્ર મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ નથી, પરંતુ નવી પેઢીને પોતાના પૂર્વજો, સમાજની પરંપરા અને સંસ્કાર સાથે જોડવાનો પણ અવસર છે.

 

દિવાસા પર્વ દરમિયાન સમાજના વિવિધ સંગઠનો અને મંડળો દ્વારા શ્રદ્ધાળુઓ માટે પાણી, ચા-નાસ્તો, ભોજન તથા અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

15 વર્ષથી નિઃશુલ્ક મહાપ્રસાદ અને આશ્રયની સેવા

 

દિવાસા પર્વ નિમિત્તે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટની યુવા ટીમ તથા સ્થાનિક આગેવાનોના સહયોગથી છેલ્લા 15 વર્ષથી વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજુભાઈ પટણી અને નગીનભાઈ પટણીના જણાવ્યા મુજબ યાત્રાળુઓ માટે કોઈપણ સ્વાર્થ વિના નિઃશુલ્ક મહાપ્રસાદ તથા રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

 

આ સેવા કેમ્પમાં અંદાજે 20થી 25 હજાર જેટલા યાત્રાળુઓ માટે ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનો તેમણે જણાવ્યું હતું. સમાજના યુવાનો અને આગેવાનોની સેવા ભાવનાથી દિવાસા પર્વ માત્ર ધાર્મિક પરંપરા નહીં પરંતુ માનવસેવાનું પણ ઉદાહરણ બની રહ્યો છે.

 

‘વધુ વૃક્ષો વાવો અને વ્યસન છોડો’નો સંદેશ

પાટણના અગ્રણી પેઈન્ટર પ્રકાશ જી. પટણીએ જણાવ્યું હતું કે દિવાસો પ્રેમ, લાગણી અને એકતાનું પર્વ છે. પૂર્વજોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય જ્યારે નવી પેઢીને શિક્ષણ તરફ આગળ વધારવામાં આવે. સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવી જીવનમાં આગળ વધારવાનો સંકલ્પ કરવાની સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વ્યસનોથી દૂર રહેવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો.

 

“વધુ વૃક્ષો વાવો અને વ્યસન છોડો, એ જ આપણા વડવાઓને સાચી શ્રદ્ધાંજલિ છે” એવો સંદેશ દિવાસા પર્વ નિમિત્તે આપવામાં આવ્યો હતો.

 

દિવાસો બન્યો શ્રદ્ધા સાથે સામાજિક એકતાનો પર્વ

 

દિવાસા પર્વમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સમાજજનો પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી પરસ્પર મળ્યા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવાની સાથે સમાજમાં શિક્ષણ, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ અને એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

 

આ રીતે પાટણમાં ઉજવાતો દિવાસો માત્ર પૂર્વજોને યાદ કરવાનો પર્વ નથી, પરંતુ ભૂતકાળની પરંપરાને વર્તમાન પેઢી સાથે જોડીને ભવિષ્ય માટે શિક્ષણ, સેવા, પર્યાવરણ અને વ્યસનમુક્તિનો સંકલ્પ કરાવતું સમાજનું આગવું મહાપર્વ બની રહ્યો છે.

 

રિપોર્ટ.અનિલ રામાનુજ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સિદ્ધપુરમાં ઐતિહાસિક વારસાના સંગ્રહનો અનોખો શોખ
Next Article 11/08/2026 Capital message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

ધર્મ ભક્તિ

ભગવતી સ્કૂલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી

ધર્મ ભક્તિ

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ધર્મ ભક્તિ

પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video