પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

કેપિટલ મેસેજ
Capital message
શિવભક્તિ આરાધનામાં ઉમટ્યો ભક્તિરસ -૧૦૮ દીવાની મહાઆરતી અને પોથી ઉત્થાપન યાત્રાએ સર્જ્યો આધ્યાત્મિક માહોલ ધર્મ અને ભક્તિની નગરી પાટણમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો થકી સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું છે. શહેરના એસ.ટી. સ્ટેન્ડ રોડ પર આવેલી ભગવતી નગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે શ્રી નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં હર્ષાબેન મોતીલાલ સોની તથા ભૂમિબેન મયંકભાઈ પટેલ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય શિવકથાનું શુક્રવારની રાત્રે ભાવભર્યા વાતાવરણમાં સમાપન થયું હતું.

શિવકથાના કથાકાર ધીરજભાઈ શાસ્ત્રીની વ્યાસપીઠેથી શ્રાવણ માસ દરમિયાન શિવમહિમા, ભક્તિ અને સંસ્કારનો સંદેશ વહેતો રહ્યો હતો. સમાપન પ્રસંગે યજમાન પરિવાર સહિત સોસાયટીના રહીશોએ સમૂહ મહાઆરતી કરી પોથી ઉત્થાપન સાથે ભક્તિમય યાત્રા યોજી હતી. ભક્તિ સંગીત અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે યાત્રા સોસાયટીમાં બિરાજમાન શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં શિવજીના આશીર્વાદ મેળવી સૌએ ધન્યતા અનુભવી હતી.
શિવકથાના આયોજનને સફળ બનાવવા સહયોગ આપનાર શિવભક્તો અને સેવાભાવી કાર્યકરોનું યજમાન પરિવાર દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અશ્મિ બ્યુટી પાર્લરના અસ્મિતાબેન દ્વારા સમગ્ર શિવકથા દરમિયાન શિવ પાર્વતી લગ્ન ઉત્સવ જેવા વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા તેમાં વેશભૂષા ની અંદર દરેક પાત્રોની મેકઅપની સેવા વિનામૂલ્યે સુંદર રીતે પૂરી પાડી ભક્તિભાવપૂર્વક સેવા અર્પણ કરવામાં આવી હતી. તેમની નિઃસ્વાર્થ સેવા બદલ પણ ભાવપૂર્વક કદર કરવામાં આવી હતી. અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

પૂર્ણાહુતિના દિવસે વ્યાસપીઠ પરથી પત્રકાર રાજુભાઈ ઠક્કર, યશપાલભાઈ સ્વામી અને સંજયભાઈ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સન્માનનીય સંગીતકાર અને ગાયક અવધેશભાઈ મહેતા, ધ્રુવભાઈ તથા તેમના સાથી કલાકારોનું પણ સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેમજ ભગવતી નગર સોસાયટીના ભક્તો દ્વારા તથા દરમિયાન સારી એવી જહેમત ઉઠાવી ખૂબ સુંદર સહયોગ આપ્યો હતો કે સર્વેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નાના નાના બાળકોનું પણ ખૂબ સુંદર સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભગવતી નગર સોસાયટી પરિવાર શિવ અને ધર્મમય બન્યો હતો અને ખુબ સુંદર રીતે એકબીજાને સહયોગ આપી પરિવારની ભાવનાથી શિવ કથાનું રસપાન કર્યું હતું અને દરેક ઉત્સવો ખૂબ ધામધૂમથી હર્ષોલાશ સાથે ઉજવ્યા હતા.
