મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

ડભોઇ તાલુકાના તરસાણા ગામેથી મક્કામદીના ઉમરાહ અર્થે જતા સોલંકી પરિવારનો સન્માન સમારંભ યોજાયો
કેપિટલ મેસેજ
Capital message
કોમી એકતાના અનોખા દ્રશ્યો હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ ઉપસ્થિત રહી સોલંકી પરિવારને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી ડભોઈ પ્રત્યેક મુસ્લિમ બિરાદરનું જીવનમાં એકવાર પવિત્ર મક્કા-મદીનાની ઝિયારત (યાત્રા) કરવાનું સ્વપ્ન હોય છે. ઇસ્લામ ધર્મમાં હજ પઢવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે, જ્યારે વર્ષના બાકીના દિવસોમાં શ્રદ્ધાળુઓ ઉમરાહ અર્થે પવિત્ર ધામ મક્કા અને મદીનાની યાત્રાએ જતા હોય છે.
આવા જ પવિત્ર કાર્ય માટે ડભોઇ તાલુકાના તરસાણા ગામેથી પવિત્ર મક્કા-મદીનાની ઉમરાહ યાત્રા અર્થે જઈ રહેલા સોલંકી પરિવાર માટે ગામમાં એક વિશેષ સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કોમી સૌહાર્દ અને એકતાનું ઉદાહરણ
આ સન્માન સમારંભની મુખ્ય વિશેષતા એ રહી કે તેમાં ગ્રામીણ સંસ્કૃતિ અને કોમી એકતાના સુંદર દર્શન થયા હતા. તરસાણા ગામ તેમજ આસપાસના વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓએ એકસાથે મળીને સોલંકી પરિવારના સભ્યોને ફુલહાર પહેરાવી, મોં મીઠું કરાવીને તેમની આ પવિત્ર અને મનોકામના પૂર્ણ કરતી યાત્રા સુખરૂપ પૂર્ણ થાય તે માટે ભાવભરી શુભેચ્છાઓ પાઠવી હતી.સન્માનિત થનાર પરિવારના સભ્યો
ઉમરાહ અર્થે જઈ રહેલા સોલંકી પરિવારના સભ્યો સોલંકી યુસુફભાઈ હાજી હમીદભાઈ સોલંકી ઈકબાલભાઈ સોલંકી ઈમરાનભાઈ સોલંકી સોલંકી બાનું સાજેદા બાનું આશીયાના સોલંકી રેહાન, અકસા અને અલફરાઝ સોલંકી અગ્રણીઓની ઉપસ્થિતિ
આ પ્રસંગે ગામના અને તાલુકાના વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઠાકોરભાઈ (માજી સરપંચ) પરસોત્તમભાઈ પટેલ જયંતીભાઈ પટેલ વિપિનભાઈ પટેલ મહેશભાઈ રતિલાલ પટેલ તમામ ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ યાત્રીઓને સલામત પ્રવાસ અને ઈબાદત કબૂલ થાય તે માટે દુઆઓ અને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે સમગ્ર તરસાણા ગામમાં ખુશી અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
