Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » અણહિલપુર પાટણની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા
ધર્મ ભક્તિ

અણહિલપુર પાટણની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા

Rajeshkumar Jadav
Last updated: July 1, 2026 1:32 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
6 Min Read
SHARE

અણહિલપુર પાટણના નાથ પ્રભુ જગન્નાથજીના દિવ્ય ધામ અને ઐતિહાસિક રથયાત્રા મહોત્સવનો ગૌરવશાળી ઇતિહાસ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

આચાર્ય પીયૂષ

More Read

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો
રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર
પાટણમાં ભક્તિભાવ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા
પાટણમાં સંગીતમય સુંદરકાંડ પાઠથી ભક્તિમય માહોલ

ઐતિહાસિક નગરી અને સિદ્ધરાજ જયસિંહની તપોભૂમિ અણહિલપુર પાટણ મધ્યે બિરાજમાન શ્રી જગન્નાથજી મંદિર આશરે ૨૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતનાનો અવિરત સ્ત્રોત ધરાવતું પરમ પવિત્ર વૈષ્ણવ તીર્થસ્થાન છે. આ દિવ્ય ધામની સ્થાપના પાછળ પાટણના ગૌરવવંતા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના આચાર્ય પરિવારનો અદ્વિતીય ત્યાગ રહેલો છે, જેમણે પ્રભુ કાર્ય અર્થે પોતાની પવિત્ર ભૂમિનું દાન આપીને સનાતન સંસ્કૃતિના એક દિવ્ય અધ્યાયની આધારશીલા મૂકી હતી. તે પાવન ભૂમિ ઉપર આજે ઉત્તર ગુજરાતના અગ્રણી વૈષ્ણવ સદસદન તરીકે પ્રભુ જગન્નાથજીનું આ મંદિર અખંડ ભક્તિ, જીવસેવા, સંસ્કાર સિંચન અને લોકકલ્યાણનું ધબકતું કેન્દ્ર બની રહ્યું છે. મંદિરની સ્થાપનાકાળથી જ અહીં ભગવાન શ્રી જગન્નાથજી, ભ્રાતા શ્રી બલભદ્રજી અને ભગિની શ્રી સુભદ્રાજીની નિત્ય ત્રિકાલ પૂજા, રાગ-ભોગ-શ્રૃંગાર, વૈદિક મંત્રોચ્ચાર અને વૈષ્ણવ પરંપરાઓનું અક્ષરશઃ પાલન થતું આવ્યું છે, જેના પરિણામે કાળક્રમે આ મંદિર સમસ્ત પાટણ નગરના શ્રદ્ધાળુઓના હૃદયનું કેન્દ્ર અને પરમ આસ્થાનું પ્રતીક બની ગયું.

આજે જે મહોત્સવ ઉત્તર ગુજરાતના સૌથી વિરાટ ધાર્મિક પર્વ તરીકે સ્થાપિત થયો છે, તે પ્રભુ જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ આશરે ૧૪૪ વર્ષ પૂર્વે અત્યંત સાદગીપૂર્ણ અને ભાવમય વાતાવરણમાં થયો હતો. તે યુગમાં પ્રભુ ભવ્ય રથોના બદલે એક લઘુ કાષ્ઠ પાલખીમાં બિરાજમાન થઈને ભક્તોને સન્મુખ દર્શન આપવા નગરચર્યાએ નીકળતા હતા, જેમાં અંદાજે માત્ર ૧૨૫ જેટલા પરમ શ્રદ્ધાળુ ભાવિકો જોડાયા હતા અને પૂર્ણ ભક્તિભાવથી ઠાકોરજીને માત્ર ૧૦ કિલો ફણગાવેલા મગ-ચણાનો નૈવેદ્ય ધરાવવામાં આવ્યો હતો. શ્રદ્ધાનું તે નાનકડું બીજ આજે ભક્તિના વિરાટ વડવૃક્ષમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે, અને દર વર્ષે જનમેદની તથા સેવાની સરવાણીમાં અવિરત વધારો થતો રહ્યો છે. સમયના વહેણ સાથે એક પરમ ધર્મપ્રેમી દાતા દ્વારા મંદિરને સુંદર કાષ્ઠનો રથ અર્પણ કરવામાં આવ્યો, અને ત્યારબાદ અન્ય એક પરમ ભક્ત દ્વારા તે રથને રજત (ચાંદી) ના પતરાથી મઢીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરાતાં આ રજત રથ પાટણની રથયાત્રાની અનન્ય ઓળખ બની રહ્યો હતો. ઉત્ક્રાંતિના આ ક્રમમાં વર્ષ ૨૦૦૦ની સાલમાં પાટણના સુપ્રસિદ્ધ શિલ્પશાસ્ત્રી અને મંદિર સ્થાપત્યકાર પીયૂષભાઈ સોમપુરાએ પ્રભુના ચરણોમાં બે ભવ્ય, નયનરમ્ય અને કલાત્મક રથો ભેટ ધર્યા, જેનું મંગલ લોકાર્પણ ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી સ્વર્ગસ્થ હરેનભાઈ પંડ્યા તથા પુષ્ટિમાર્ગના પરમ વિદ્વાન સંત પૂજ્ય વાગીશકુમાર મહારાજના વરદહસ્તે સંપન્ન થયું હતું, જે ઘટના પાટણની રથયાત્રાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ.

મંદિરના વૈભવ અને જીર્ણોદ્ધારની પરંપરામાં પણ અનેક શ્રેષ્ઠીઓ, દાતાઓ અને ટ્રસ્ટીઓનું અણમોલ યોગદાન રહ્યું છે. મંદિરના પ્રાચીન અભિલેખો અનુસાર, આજથી આશરે ૮૮ વર્ષ પૂર્વે જ્યારે મંદિરનો પ્રથમ જીર્ણોદ્ધાર થયો ત્યારે તેનો કુલ ખર્ચ માત્ર રૂ. ૩૫૨ નોંધાયો હતો, જે તે સમયના આર્થિક મૂલ્યના સંદર્ભે એક બહુ મોટું ભગીરથ કાર્ય હતું. ત્યારબાદ પાટણના જાણીતા બિલ્ડર માધુભાઈ પટેલે મંદિરના નૂતન વિકાસમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જ્યારે તાજેતરના સમયમાં પ્રભુના પરમ પવિત્ર ગર્ભગૃહનો ભવ્ય અને કલાત્મક જીર્ણોદ્ધાર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી આચાર્ય પીયૂષભાઈના ધર્મપત્ની કૈલાસબેન આચાર્યના પરમ સહયોગથી સંપન્ન થયો, જેના કારણે પ્રભુનું ગર્ભગૃહ આજે અલૌકિક તેજથી ઝળહળી રહ્યું છે. આ જ શ્રદ્ધાની સરવાણીમાં વર્ષ ૨૦૧૨માં એક નવો અધ્યાય ઉમેરાયો, જ્યારે વધતી જતી ધાર્મિક પ્રવૃત્તિઓ, કથાઓ અને સંસ્કાર શિબિરોના આયોજન માટે એક વિશાળ સત્સંગ હોલનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો. આ ભવ્ય સત્સંગ હોલનું ભૂમિપૂજન પરમ પૂજ્ય રાષ્ટ્રસંત સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી) ના હસ્તે થયું હતું અને મહારાજએ પોતે આ સત્કાર્યમાં રૂ. ૨૨ લાખની માતબર ધનરાશિ અર્પણ કરી પાટણના અન્ય દાતાઓ માટે ઉદારતાનો રાહ ચિંધ્યો હતો. પ્રભુ પ્રત્યેની અખંડ ભક્તિના ચરમસીમા રૂપે, વર્ષ ૨૦૨૨માં ભારતના અગ્રણી સ્થાપત્યકાર પીયૂષભાઈ સોમપુરાએ કરોડો રૂપિયાના ખર્ચે પુરીના જગન્નાથ મંદિરની દિવ્ય પ્રતિકૃતિ સમાન એક ભવ્ય પથ્થરના નૂતન મંદિરના નિર્માણની જાહેરાત કરી છે, જે પાટણને રાષ્ટ્રીય ફલક પર સર્વોચ્ચ તીર્થ અને પૌરાણિક રથયાત્રા તરીકે સ્થાપિત કરવાનો એક દિવ્ય સંકલ્પ છે.

More Read

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ
ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!
મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર
પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!

આજે પાટણની આ રથયાત્રા ઉત્તર ગુજરાતની સૌથી શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત ધર્મયાત્રા છે, જેમાં અંદાજે છ કિલોમીટર લાંબા નિર્ધારિત માર્ગ પર બે લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પ્રભુના દર્શનાર્થે ઉમટી પડે છે. આ દિવ્ય મહોત્સવમાં ૧૨૫ જેટલી ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની આકર્ષક ઝાંખીઓ, ચાર બેન્ડવાજા, છ ડી.જે., અખાડાઓ, અશ્વદળ અને ભજન મંડળીઓ વૈભવપૂર્ણ આકર્ષણ જમાવે છે, તથા સમગ્ર માર્ગ પર હજારો કિલોગ્રામ મહાપ્રસાદનું વિતરણ થાય છે. આ વિરાટ આયોજનની સફળતા પાછળ જનભાગીદારી અને વ્યવસ્થાપનનું એક અનોખું મોડેલ કામ કરી રહ્યું છે, જેમાં નાણાં, હિસાબ, રથ, પ્રસાદ, સુરક્ષા, આરોગ્ય અને મીડિયા જેવી અનેક વિશિષ્ટ સમિતિઓના નેજા હેઠળ ૮૦૦થી વધુ નિઃસ્વાર્થ સેવાભાવી કાર્યકરો દિવસ-રાત પ્રભુ સેવામાં લીન રહે છે. ભક્તોની અગાધ આસ્થાનું સ્તર એ ઊંચાઈએ પહોંચ્યું છે કે પ્રભુના પવિત્ર મામેરા ઉત્સવના યજમાન બનવા માટે ભાવિકોએ વર્ષ ૨૦૩૭ સુધીનું અગાઉથી બુકિંગ કરાવી દીધું છે. સમગ્ર પાટણ નગરની એકતા, સામાજિક સમરસતા અને સનાતન સંસ્કૃતિનું પ્રતીક બનેલી આ રથયાત્રાની સૌથી મોટી ગૌરવની બાબત એ છે કે લાખોની જનમેદની હોવા છતાં, કાર્યકરોની અજોડ શિસ્ત, પોલીસ પ્રશાસન અને નગરજનોના પરસ્પર સહયોગના કારણે વિતેલા દાયકાઓમાં ક્યારેય એક પણ નાનો કે અનિચ્છનીય બનાવ બન્યો નથી. માત્ર ૧૨૫ ભક્તોથી શરૂ થયેલી આ શ્રદ્ધા યાત્રા આજે બે લાખથી વધુ માનવમેદનીના મહાસાગરમાં ફેરવાઈ ગઈ છે, અને પ્રભુ જગન્નાથજીની અસીમ કૃપાથી આગામી સમયમાં આ ઐતિહાસિક રથયાત્રા સમગ્ર રાષ્ટ્રમાં સર્વશ્રેષ્ઠ અને આદર્શ રથયાત્રા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરે તેવી જ સૌ નગરજનોની પ્રભુ ચરણોમાં પરમ પ્રાર્થના છે.

॥ જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે ॥

॥ જય જગન્નાથ ॥

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ધારપુર જીએમઇઆરએસમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ યોજાયું
Next Article પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

ધર્મ ભક્તિ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

ધર્મ ભક્તિ

મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ

ધર્મ ભક્તિ

દર્ભાવતી-ડભોઇમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટીજી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

ધર્મ ભક્તિ

ખ્વાજા પીરશાહ બદરુદ્દીન ચિસ્તી ફરીદીના ઉર્સે ભવ્ય ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video