નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇકરનાળી પવિત્ર તીર્થધામ કરનાળી ખાતે આજે એક અદભૂત ત્રિવેણી સંગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. નિમિત્ત હતું-પિતૃ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો વિરામ અને પવિત્રઅમાસની તિથિ. આ અવસરે કરનાળી સ્થિત ‘મા રેવા આશ્રમ દ્વારા વિશાળ ભંડારાનું સભર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
ત્રિવેણી સંગમ જેવો પવિત્ર અવસર આજના દિવસનું મહત્વ સમજાવતા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે ત્રણ વિશેષ સંયોગો ભેગા થયા છે પિતૃ પક્ષ (શ્રાદ્ધ)નો અંતિમ દિવસ: પિતૃ તર્પણ માટે આવેલા હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા: ચૈત્ર માસમાં થતી વિશેષ પરિક્રમાનો આજે છેલ્લો દિવસ હોવાથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહપવિત્ર અમાસ: નર્મદા સ્નાન અને દાન-પુણ્ય માટેનું વિશેષ મહત્વ.

શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવસા કુબેર ભંડારી મંદિરના દર્શને આવતા ભક્તો, નર્મદા મૈયાની પરિક્રમા પૂર્ણ કરનારા પ્રવાસીઓ અને પિતૃ કાર્ય માટે આવેલા લોકો માટે ‘મા રેવા આશ્રમ’ આશીર્વાદ સમાન સાબિત થયો હતો. સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. આશ્રમની નિસ્વાર્થ સેવા અને વ્યવસ્થાને કારણે તમામ લોકોએ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ભંડારાનો લાભ લીધો હતો.

મા રેવા આશ્રમ ખાતે માત્ર અમાસ જ નહીં, પરંતુ અન્ય દિવસોમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. શ્રદ્ધાળુઓની સેવા એ જ અમારો પરમ ધર્મ છે. રજનીભાઈ પંડ્યા (સંચાલક, મા રેવા આશ્રમ) સેવા અને સમર્પણનું કેન્દ્ર કરનાળીમાં આવતા પ્રત્યેક ભક્ત માટે આ આશ્રમ આસ્થાનું કેન્દ્ર બન્યો છે. ભંડારામાં પીરસવામાં આવતી ભોજન પ્રસાદી પાછળ આશ્રમનો ઉમદા હેતુ કોઈ પણ યાત્રાળુ ભૂખ્યો ન જાય તે રહ્યો છે. આજના ભવ્ય આયોજને કરનાળીના પવિત્ર તટ પર ભક્તિ અને સેવાનો સુંદર સમન્વય સર્જ્યો હતો.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
