પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું..

પાટણના બલિયા હનુમાન મંદિર પરિસરમાં કિર્તીકુમાર દયાશંકર દવે પરિવાર દ્વારા શ્રીમદ ભગવત કથા નું આયોજન કરવામાં આવ્યું ..
કેપિટલ મેસેજ, ન્યુઝ
તારીખ 28 માર્ચ 2026 ને શનિવારે બપોરે ત્રણ કલાકે થી કથા પ્રારંભ કરવામાં આવેલ જે તારીખ 5 એપ્રિલ 2026 ને રવિવાર સુધી ચાલવાની છે. જેમાં વક્તા શાસ્ત્રી શૈલેષભાઈ દવે (જમણપુર વાળા )પોતાની શું મધુર વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા નો મૂળ હેતુ કિર્તીભાઈ દવે વય નિવૃત્તિ નિમિત્તે તેમજ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા કરાવી રહ્યા છે. તારીખ 28 માર્ચ 2026 શનિવારે સવારે 9:00 કલાકે કિર્તીભાઈ દવેના નિવાસ્થાનેથી પોથીયાત્રા શ્રી બલિયા હનુમાન મંદિર પરિસર સંગીત વાજિંત્રો સાથે પ્રભુની ધૂન સાથે પહોંચી હતી..

કથા દરમિયાન ખૂબ સારા દષ્ટાંતો સાથે વક્તા શાસ્ત્રી શૈલેષભાઈ દવે તથા દરમિયાન જણાવ્યું કે વર્તમાન સમયની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કેવી રીતે ધર્મ અને ભક્તિમય જીવન જીવી ને કળિયુગમાં પણ સારી રીતે જીવી શકાય. આપણા પરિવારમાં ધર્મ અને સંસ્કાર સાથે બાળકોનું ઉછેર કરવો જોઈએ ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. સામાજિક ક્ષેત્રે કોઈપણ જાતની સમસ્યાઓનું સમાધાન ભગવત ગીતામાં મળે છે. ધર્મનગરી પાટણ ની જનતા જનાર્દન બલિયા હનુમાન પરિસરમાં તથા દરમિયાન જે પ્રસંગો આવે છે તે પણ ખૂબ આનંદ સાથે ઉજવી રહ્યા છે. કિર્તીભાઈ દવે દ્વારા ઉપસ્થિત પત્રકાર રાજુભાઈ ઠક્કર તથા યશપાલભાઈ સ્વામી નું સન્માન કર્યું હતું. તેમજ સન્માનનીય મહેમાનો અને સગા સ્નેહીજનો મિત્રોનો પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું… કથા દરમિયાન બલીયા હનુમાન ટ્રસ્ટના વૈષ્ણવ હરિપ્રસાદ મહારાજ સંતો મહંતો તેમજ રેખાબેન દવે જેવા જ્ઞાની વક્તાઓ દ્વારા વિવિધ વિષયો ઉપર ધર્મ અને સંસ્કૃતિ વિશે રસપ્રદ વાત કરવામાં આવી હતી. આજે રુક્ષ્મણી વિવાહ નો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
