એલ કેનલ લીકેજથી ખેડૂતો ચિંતિત: તંત્ર સામે રોષ

ડભોઇ તાલુકાના અબ્દલાપુરા નજીક વાયદપુર એલ કેનલમાં મોટું લીકેજ ખેતરો પાણી-પાણી થવાની ભીતિથી ખેડૂતોમાં ભારે રોષ
કેપિટલ મેસેજ,ન્યુઝ
Capital message
ડભોઇ તાલુકાના અબ્દલાપુરા ગામ વિસ્તારમાંથી પસાર થતી વાયદપુર એલ કેનલમાં વ્યાપક લીકેજની સમસ્યા સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતા અને તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે કેનલના નબળા બાંધકામ કે જાળવણીના અભાવે સતત વહી રહેલા પાણીને કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવાનો મોટો ખતરો ઊભો થયો છે ડભોઈ પલાસવાડા ડિસ્ટ્રિબ્યુટરીમાંથી નીકળતી આ માઈનોર વાયદપુર એલ અપ પૂર્વ દિશાના સાઈફનનો ભાગ છે લંબાઈ અને વિસ્તાર અંદાજે ૮૦૦ મીટર લાંબી આ વાયદપુર એલ કેનલ અબ્દલાપુરા વિસ્તારમાંથી પસાર થાય છે અને અસંખ્ય ખેડૂતોની જમીન આ કેનાલ પર નિર્ભર છે.
ખેડૂતોની ઊંઘ હરામ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેનલના કેટલાક પતરા અને સાંધાના ભાગોમાંથી સતત ક્યુસેક પાણી લીક થઈ રહ્યું છે હાલ ખેતરોમાં મકાઈ જુવાર અને ઉંધીયુ પાક તૈયાર થઈ રહ્યો છે અથવા વાવણીની પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે જો કેનાલ તૂટે અથવા લીકેજ વધે તો આખેઆખા ખેતરો બેટમાં ફેરવાઈ શકે છે. વહેતા પાણીના લીધે જમીનનું ધોવાણ થવાનો અને પાક સડી જવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે જેના કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ શકે છે અમે રાત-દિવસ મહેનત કરીને પાક ઉછેરીએ છીએ. તંત્રની બેદરકારીના કારણે જો કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસશે તો અમારો બધો જ ખર્ચ અને મહેનત પાણીમાં જશે. તંત્રએ એસી ઓફિસોમાંથી બહાર આવીને તાત્કાલિક આ નબળી કેનાલનું સમારકામ કરવું જોઈએ
સિંચાઈ વિભાગ સામે ખેડૂતોની ઉગ્ર માંગ

મુશ્કેલીમાં મુકાયેલા અબ્દલાપુરાના ખેડૂતોએ સિંચાઈ વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સામે અપીલ કરતા તાત્કાલિક નીચેના પગલાં લેવાની માંગ કરી છે:
તાત્કાલિક સ્થળ તપાસ સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને લીકેજની તીવ્રતાનું નિરીક્ષણ કરે યુદ્ધના ધોરણે મરામતકે કેનાલ તૂટે તે પહેલાં જ મરામત (રિપેરિંગ) કામગીરી શરૂ કરવામાં આવે કાયમી ઉકેલ માત્ર થીગડા મારવાને બદલે કેનાલના સાઈફન અને નબળા ભાગોનું કાયમી સિમેન્ટીકરણ કરવામાં આવે. કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ખેતી અને કૃષિ ઉત્પાદન બંને પર ગંભીર નકારાત્મક અસર પડશે, જેની જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણ નિદ્રામાં પોઢેલું સિંચાઈ વિભાગ પાક નષ્ટ થતા પહેલા જાગે છે કે કેમ
રિપોર્ટ: ફઝલ રઝાક ખત્રી,ડભોઇ
