ડભોઇ તાલુકાના ચનવાડા ગામે ખેતરોનો રસ્તો બંધ કરાતા વિવાદ રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

કેપિટલ મેસેજ,ન્યુઝ
Capital message
ડભોઇ તાલુકાના ચનવાડા ગામે ખેતરોમાં જવાનો મુખ્ય રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આશરે ૩૦૦ વીઘા જેટલી જમીનનો અવરજવરનો માર્ગ બંધ થઈ જતાં મુશ્કેલીમાં મુકાયેલા ૭૦ થી ૮0 જેટલા ખેડૂતોએ આજે એકત્રિત થઈ ડભોઇ સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને વહેલી તકે રસ્તો ખુલ્લો કરાવવા ઉગ્ર માંગ કરી હતી.

ચનવાડા ગામના જ એક ખેડૂત રમણભાઈ સોમાભાઈ બારીયા દ્વારા ગઈકાલે અચાનક જ ખેતરો તરફ જતો જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રસ્તો એ વિસ્તારના અંદાજે ૭૦ થી ૮૦ ખેડૂતો માટે પોતાના ખેતરો સુધી પહોંચવાનો એકમાત્ર સહારો છે. રસ્તો બંધ થવાના કારણે આશરે ૩૦૦ વીઘા જેટલી ખેતીની જમીનનો સંપર્ક તૂટી ગયો છે, જેના લીધે ખેડૂતોને ખેતરમાં આવ-જા કરવા તેમજ ખેતીના સાધનો લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતનો કોઈ જવાબ નહીં, રોષે ભરાયેલા ગ્રામજનો સેવાસદન પહોંચ્યા
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, જ્યારે રસ્તો બંધ કરવા બાબતે જવાબદાર ખેડૂત રમણભાઈ બારીયાનો સંપર્ક કરવામાં આવ્યો અને ખુલાસો પૂછવામાં આવ્યો, ત્યારે તેમના તરફથી કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. ખેડૂતના આ અડિયલ વલણને કારણે ચનવાડા ગામના અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ખેડૂતોની માંગ હાલ ખેતીની સીઝન ચાલી રહી છે, ત્યારે અચાનક રસ્તો બંધ થતાં અમારું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવામાં આવે અને રસ્તો વહેલી તકે ખુલ્લો કરાવવામાં આવે તંત્ર પાસે વહેલી તકે ઉકેલની અપેક્ષા આજરોજ મોટી સંખ્યામાં ચનવાડા ગામના ખેડૂતો સેવાસદન ખાતે એકઠા થયા હતા અને તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ રસ્તો વહેલી તકે ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. હવે જોવાનું એ રહેશે કે મામલતદાર અને સ્થાનિક વહીવટી તંત્ર આ સંવેદનશીલ બાબતે કેટલી ઝડપથી પગલાં ભરે છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
