Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » મામવાડા ‘વન કવચ’ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
ગુજરાત

મામવાડા ‘વન કવચ’ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Rajeshkumar Jadav
Last updated: June 5, 2026 3:15 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

સિદ્ધપુર તાલુકાના મામવાડા ખાતે પાટણ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય ઉજવણી: ‘વન કવચ’ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ કરાયું

વર્ષ ૨૦૨૬ની થીમ “કુદરતથી પ્રેરિત આબોહવા માટે, આપણા ભવિષ્ય માટે” અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન હેઠળ ૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર અને ૧૫૦ રોપાઓનું વિતરણ કરાયું

મામલતદાર અને વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને પર્યાવરણ મૈત્રીપૂર્ણ જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું

More Read

રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો
સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો

 

કેપિટલ મેસેજ, ન્યુઝ

Capital message

More Read

પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ

પાટણ વન વિભાગ, વિસ્તરણ રેન્જ સિદ્ધપુર દ્વારા તારીખ ૦૫ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિદ્ધપુર તાલુકાના મામવાડા ખાતે વન કવચ ખાતે એક વિશેષ વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

નાયબ વન સંરક્ષક,વન વિભાગ પાટણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો અને હરિત તથા ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. ચાલુ વર્ષે આ ઉજવણી “કુદરતથી પ્રેરિત આબોહવા માટે, આપણા ભવિષ્ય માટે” ની વિશેષ થીમ આધારિત રાખવામાં આવી છે.

કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને મામલતદાર કે. કે. રણાવાસિયાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં આબોહવા પરિવર્તન એ સમગ્ર વિશ્વ સામેનો સૌથી મોટો પડકાર છે. વધતું તાપમાન, અનિયમિત વરસાદ અને પાણીની અછત જેવી ગંભીર પરિસ્થિતિઓ સામે લડવા માટે દરેક નાગરિકે ઊર્જા બચત, મહત્તમ વૃક્ષારોપણ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન જેવી પર્યાવરણમૈત્રી આદતો પોતાના રોજિંદા જીવનમાં અપનાવવી અનિવાર્ય બની ગઈ છે.

આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.એ.સિંઘવે વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી અને પર્યાવરણલક્ષી યોજનાઓ વિશે ગ્રામજનોને સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે ગામના સરપંચ બળદેવસિંહ બારડે ગ્રામજનોને મામવાડા ગામને વધુ હરિયાળું બનાવવા અને મહત્તમ વૃક્ષો વાવી તેનું જતન કરવા આહવાન કર્યું હતું.

 

More Read

પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

કાર્યક્રમ અંતર્ગત ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન હેઠળ તમામ મહાનુભાવો અને ગ્રામજનોના હસ્તે ‘વન કવચ’ ખાતે વિવિધ પ્રજાતિના ૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત નાગરિકોને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ૧૫૦ જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ ‘વન કવચ’નું નિરીક્ષણ કરી વિવિધ વનસ્પતિઓ અને રોપાઓની ઓળખ મેળવી હતી.

કાર્યક્રમની પૂર્ણાહુતિ વખતે શ્રી વી. એલ. દેસાઈ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વૃક્ષારોપણ કરવા તેમજ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ રહેવાના પવિત્ર સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપ સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, તલાટી કમ મંત્રી મમતાબેન પટેલ, તેમજ વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ સર્વ વી.એલ.દેસાઈ, એમ. વી. બારડ, એ. વી. રાજપૂત, વી. જે. ચૌધરી અને પી. એચ. પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પી.પી.જી. હાઇસ્કૂલમાં પર્યાવરણ દિનની ઉજવણી
Next Article ડૉ.જય ધ્રુવને ICTRD મેનેજમેન્ટ કાઉન્સિલમાં નિયુક્તિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video