પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ધોરણ 11/12 ના વિધાર્થીઓને “સફળ જીવનની દિશા ધારા” 720 પુસ્તક અર્પણ.

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી. આર.પટેલ ઉ.મા. શાળા પાટણના ધોરણ 11 અને 12 ના 720 જેટલા વિધાર્થીઓને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત જીવનમાં સર્વાંગી સફળતા માટે ના ચાવી સમાન વિચારો આપતુ પં.પૂ.પંડિત શ્રી રામશર્મા આચાર્ય દ્વારા રચિત પુસ્તક “સફળ જીવનની દિશાધારા”ની ભેટ અર્પણ કરવામાં આવી. ગાયત્રી શક્તિપીઠ પાટણ ના કાર્યકર્તા શિવરામભાઈ પટેલ તથા મુકેશભાઈની ઉપસ્થિતમાં વિધાર્થીઓને પોતાના જીવનમાં પોતાની 5 લાક્ષણિકતા ઉપરાંત પુસ્તકમાં આપેલ દિશા સૂચક વાતો ઉતારે અને અન્યને પ્રેરણા આપે એવી સુંદર વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય ડૉ. ઝુઝારસંગ સોઢાએ જીવન ઉપયોગી વાતો ઉપરાંત શિસ્ત , સંસ્કાર , સ્વાભિમાન , વ્યસનમુક્તિ, આરોગ્યલક્ષી ઉદબોધન કરવામાં આવેલ , સમગ્ર કેમ્પસના કેન્દ્ર સંચાલક અને નવચાર વિચારોના પ્રેરક એવા ડૉ. જય ધ્રુવ પુસ્તકની સરાહના કરતાં ગાયત્રી પરિવારનો આભાર વ્યક્ત કરી બાળકો આ પુસ્તકના વાંચન બાદ અવશ્ય સમીક્ષા કરે અને આત્મચિંતન કરે તેવું આહવાન કરેલ સમગ્ર કાર્યક્રમમાં શાળા સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
