Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
ગુજરાત

રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ

Rajeshkumar Jadav
Last updated: June 21, 2026 9:40 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ : નગરપાલિકાએ તાત્કાલિક શરૂ કરી વિકાસલક્ષી કામગીરી

ભૂખ હડતાળ અને ધરણા બાદ તંત્ર હરકતમાં આવ્યું, ગટર-રસ્તા-પાણી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરીનો પ્રારંભ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

કડિયા જમાત પંચે તેજસ્વી તારલાઓનું કર્યું સન્માન
ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી
રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો

Capital message 

રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર બનેલા જનઆંદોલન બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ગટર, પીવાનું પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને ખરાબ રસ્તાઓ જેવી લાંબા સમયથી પડતર રહેલી સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે વિકાસલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે શહેરના વોર્ડ નં. 1 થી 6ના રહીશો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ નગરસેવિકા જયાબેન ઠાકોરના નેતૃત્વમાં નગરપાલિકા કચેરી ખાતે ધરણાં અને ભૂખ હડતાળ શરૂ કરી હતી. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોને રોજબરોજ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

આંદોલન દરમિયાન મહિલાઓ અને રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને પાણીના પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે અને જરૂર પડે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે મૂળભૂત સુવિધાઓના અભાવ સામે ઉઠેલા આ જનઆક્રોશે સમગ્ર શહેરનું ધ્યાન ખેંચ્યું હતું.

વધતા જનદબાણ વચ્ચે નગરપાલિકા પ્રમુખ દ્વારા કારોબારી ચેરમેન ઘાંચી ગુલામરસુલભાઈને આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવા મોકલવામાં આવ્યા હતા. ચર્ચા દરમિયાન શહેરના નાગરિકોને પડતી ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણીની સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. આ ખાતરી મળ્યા બાદ દિવસભર ચાલેલું આંદોલન સમેટવામાં આવ્યું હતું.

બાંહેધરી અનુસાર હવે શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કારોબારી ચેરમેન ઘાંચી ગુલામરસુલભાઈએ જણાવ્યું હતું કે નાગરિકોને પડતી મૂળભૂત સમસ્યાઓના ઉકેલ માટે તંત્ર ગંભીરતાથી કાર્ય કરી રહ્યું છે. જ્યાં લાંબા સમયથી પ્રશ્નો યથાવત હતા તે વિસ્તારોમાં પ્રાથમિકતા આધારે કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેને વધુ વેગ આપવામાં આવશે.

નગરસેવિકા જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે મહિલાઓ અને રહીશોએ જનહિતના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો હતો. તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા લોકોની માંગણીઓને પ્રાથમિકતા મળી હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે શહેરના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી જનહિતના મુદ્દાઓ પર સતત નજર રાખવામાં આવશે.

સ્થાનિક રહીશોમાં પણ કામગીરી શરૂ થતાં આશાનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલની અપેક્ષા સાથે લોકોએ તંત્રના આ પગલાને આવકાર્યું છે. નાગરિકોના જણાવ્યા મુજબ જો શરૂ કરાયેલી કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થશે તો શહેરમાં સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

More Read

હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત

રાધનપુરમાં મહિલાઓ અને રહીશોના આંદોલન બાદ શરૂ થયેલી આ કામગીરીએ એક વખત ફરી સાબિત કર્યું છે કે જનહિતના પ્રશ્નો માટે ઉઠેલો લોકઅવાજ તંત્રને જવાબદારીપૂર્વક નિર્ણય લેવા અને કામગીરી કરવા માટે પ્રેરિત કરી શકે છે. હાલમાં સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો હવે જાહેર કરાયેલી કામગીરીના પરિણામો પર નજર રાખી રહ્યા છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો
Next Article રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

નગરપાલિકા-પોલીસે મળીને ઉજવ્યો યોગ દિવસ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

ગુજરાત

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

ગુજરાત

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video