ડભોઇ તાલુકાના કનાયાડ ગામડી રેલવે ઓવરબ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય; હજારો વાહનચાલકોના જીવ જોખમમાં

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇથી ચાણોદ, રાજપીપળા અને પ્રસિદ્ધ યાત્રાધામ પોઈચાને જોડતા મુખ્ય માર્ગ પર કનાયાડ ગામડી પાસે આવેલો રેલવે ઓવરબ્રિજ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બન્યો છે બ્રિજ ઉતરતી વખતે જ હાઈવે પર પડેલા વિશાળ ખાડાઓના કારણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે, છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું જણાય છે રોજના હજારો પ્રવાસીઓ માટે જોખમી સફર આ માર્ગ માત્ર સ્થાનિક નથી પરંતુ ગુજરાતના પ્રવાસન નકશા માટે પણ અત્યંત મહત્વનો છે ડભોઇથી રાધિકા તરફ જતો આ માર્ગ ચાણોદ, રાજપીપળા અને પોઈચાને જોડે છે.

ટ્રાફિકનું ભારણ: દરરોજ હજારોની સંખ્યામાં નાની-મોટી ગાડીઓ અને પ્રવાસીઓની બસો અહીંથી પસાર થાય છે રાત્રિના સમયે જોખમ: રાત્રિ દરમિયાન પૂરતી લાઈટના અભાવે વાહનચાલકોને આ ખાડા દેખાતા નથી, જેના કારણે અચાનક બ્રેક મારતા પાછળ આવતા વાહનો અથડાવા કે ગાડી પલટી ખાવાના બનાવો બની રહ્યા છે બ્રિજ પરથી પૂરઝડપે ઉતરતી ગાડી જો અચાનક આ મોટા ખાડામાં ખાબકે, તો ટાયર ફાટવા અથવા બેલેન્સ બગડવાથી મોટી જાનહાનિ થઈ શકે છે.જો આ ખાડાઓના કારણે કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી સ્ટેટ હાઈવેના અધિકારીઓ લેશે રોષે ભરાયેલા વાહનચાલકોતાત્કાલિક નિરાકરણની માંગ સ્થાનિક રહીશો અને વાહનચાલકોની એક જ માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તુરંત સ્થળ મુલાકાત લે બ્રિજની આસપાસના તમામ જીવલેણ ખાડાઓનું ગુણવત્તાયુક્ત પેચવર્ક કરવામાં આવે ભવિષ્યમાં આવા ખાડા ન પડે તે માટે કાયમી ધોરણે રસ્તાનું રિસર્ફેસિંગ કરવામાં આવે ચોમાસું માથે છે ત્યારે જો અત્યારે આ ખાડાઓ પૂરવામાં નહીં આવે, તો વરસાદમાં સ્થિતિ વધુ બદતર બનશે. શું તંત્ર કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે?
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
