Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » બાસ્પા ખાતે વિદ્યાલયના નામકરણ અને છાત્રાપર્ણ સમારોહનુ ભવ્ય આયોજન.
ગુજરાત

બાસ્પા ખાતે વિદ્યાલયના નામકરણ અને છાત્રાપર્ણ સમારોહનુ ભવ્ય આયોજન.

Rajeshkumar Jadav
Last updated: March 26, 2026 7:13 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

બાસ્પા ખાતે વિદ્યાલયના નામકરણ અને છાત્રાપર્ણ સમારોહનુ ભવ્ય આયોજન.

 

ઝીલિયા ગાંધી આશ્રમ સંચાલિત શાળાને મળ્યું ‘મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ’નું નામ..

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

સમી તાલુકાના બાસ્પા ગામે બુધવારે શિક્ષણ અને સંસ્કારને સમર્પિત એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝીલિયા ગાંધી આશ્રમ સંચાલિત વિદ્યાલયના નામકરણ અને છાત્રાપર્ણ કાર્યક્રમમાં આધ્યાત્મિક, શૈક્ષણિક, સામાજિક અને જાહેર જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે શાળાને હવે ‘મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ ઉ.બુ. માધ્યમિક શાળા (બાસ્પા)’ તરીકે સત્તાવાર રીતે ઓળખ આપવામાં આવી છે.

કાર્યક્રમ ઝીલિયા ગાંધી આશ્રમના સંચાલક પદ્મશ્રી માલજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આ વિદ્યાલય તેમની 15મી શાળા હોવાનું પણ ગૌરવપૂર્ણ રીતે નોંધાયું હતું. આ શાળા ગાંધી આશ્રમ ઝીલિયા દ્વારા સંચાલિત થાય છે, જે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કાર આપવાના કાર્યમાં સક્રિય છે.

આ સમારોહમાં ક્રાંતિકારી સંત અને પદ્મભૂષણ મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મુખ્ય દાતાઓ, સહયોગી દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ભવ્યતા અર્પી હતી.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા અને સંસ્કારનું સુંદર સંમિશ્રણ સર્જાયું હતું. ત્યારબાદ પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન આપતાં ઝીલિયા ગાંધી આશ્રમ દ્વારા સંચાલિત શૈક્ષણિક યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીની સફરનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો. તેમણે ગ્રામ્ય સમાજમાં શિક્ષણનું મહત્વ, સંસ્કાર આધારિત કેળવણી અને સંસ્થાની સેવાભાવના પર પ્રકાશ પાડ્યો હતો.

મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ મહારાજે પોતાના આશીર્વચનમાં સમાજસેવા, શિક્ષણ અને માનવકલ્યાણ માટે કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે ખાસ કરીને કથાકાર અને કલાકારના માધ્યમથી સમાજજાગૃતિ અને માનવસેવાના કાર્યોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પોતાના ઉદ્દબોધનમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રવાદી અને માનવતાવાદી કલાકાર તરીકે ઓળખાવ્યા હતા. સાથે જ તેમની હળવી રમૂજ, જીવનમૂલ્યો અને સંસ્કારસભર વિચારો દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના સંબોધને કાર્યક્રમમાં એક અલગ જ ઉર્જા અને આનંદનો માહોલ સર્જ્યો હતો.

પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ પોતાના સંબોધનમાં ઝીલિયા ગાંધી આશ્રમ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના કાર્યોની હૃદયપૂર્વક સરાહના કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો દીવો પ્રગટાવી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયાસોને ખૂબ જ પ્રેરણાદાયી ગણાવ્યા હતા. શિક્ષણ માત્ર ડિગ્રી પૂરતું મર્યાદિત ન રહી, પણ સંસ્કાર, માનવતા અને રાષ્ટ્રભાવના સાથે જોડાય તે સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાલય, આશ્રમ અને ગ્રામ્ય સમાજ વચ્ચેનો લાગણીસભર સંબંધ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓએ પણ સંસ્થાની યાત્રાને ગૌરવપૂર્ણ ગણાવી હતી અને ભવિષ્યમાં પણ શૈક્ષણિક વિકાસ માટે સતત સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી.

આ સમગ્ર સમારોહનું સફળ અને સુવ્યવસ્થિત સંચાલન ઝીલિયા ગાંધી આશ્રમના આચાર્ય જસુભાઈ દેસાઈ, પન્નાલાલ પંચાલ, લાલભાઈ દેસાઈ અને ભલાભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, દાતાશ્રીઓ, આગેવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બાસ્પા ગામે યોજાયેલ આ સમારોહ માત્ર શાળાના નામકરણ પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ ગ્રામ્ય શિક્ષણ, સંસ્કાર અને સમાજસેવાને સમર્પિત એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક પ્રસંગ તરીકે યાદગાર બન્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article આરસેટી પાટણનો અનોખો પ્રયાસ: ૨૮ તાલીમાર્થીઓને ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીમાં કુશળતા સાથે પ્રમાણપત્ર વિતરણ
Next Article સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video