ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ

કેપિટલ મેસેજ, ન્યુઝ
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજનો અદ્રિતીય,અજોડ, ઐતિહાસિક, આનંદદાયક, અભૂતપૂર્વ, અદભૂત, આયોજનબધ્ધ, સ્વયંશિસ્તબધ્ધ, સમજણપૂર્વકનો પૂજ્ય જલારામ બાપાના ભજનનો મહા મહોત્સવ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં તારીખ 22-2-2026 રવિવારે શ્રી જલારામ મંદિર હારિજ ખાતે “ના ભૂતો ના ભવિષ્યતિ ” એવો યોજાયો હતો.
હિંમતનગર,થરા, ડીસા, પાલનપુર, ધાનેરા,ભીલડી, શિહોરી ,દિયોદર,પાટણ, રાપર,ભાભર, રાધનપુર, વારાહી ,શિહોરી, મહેસાણા, ગાંધીનગર ,અમદાવાદ, દક્ષિણ આફ્રિકા એમ વિવિધ સ્થળોએથી સનાતન હિંદુ સમાજના જલારામપ્રેમી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજના સૌ અતિ શિસ્તબધ્ધ જલારામ ભકતો દ્વારા સૌનું અભૂતપૂર્વ સન્માન, અભિવાદન,મીઠો આવકાર સરાહનીય હતો.
જાણે કે પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈ મા જાતે જ કાર્યક્રમમાં હાજર હોય તેવી સૌને અનન્ય અનુભૂતિ થઈ હતી.સૌની ઉદાર,ઉદાત, પ્રેરણાદાયી ભાવનાનાં દર્શન થયાં હતાં.

ચાપાણી – નાસ્તો,મંડપ, સાઉન્ડ, સન્માન,સંગીત, બેઠક, પીવાનું પાણી, ભોજન પ્રસાદ,ભજન ગવડાવવાની રીત, સંચાલન સહિત તમામ બાબતો ઉડીને આંખે વળગે તેવી અતિ પ્રશંસનીય હતી.
સમગ્ર કાર્યક્રમની સમયસર શરૂઆત ,સમયબધ્ધ સંચાલન, સમગ્ર ટીમની મહેનત, વિવિધ સંતોની પાવન ઉપસ્થિતિ, હારિજના સૌ જલારામ ભક્તો તેમજ વિવિધ સંસ્થાઓના સેવાભાવીઓ-હોદેદારોની હાજરી, હારિજના વિવિધ મંડળોની હાજરી, પૂજ્ય જલારામ બાપા મંદિર હારિજનું સગવડતાપૂર્ણ વિશાળ પ્રાંગણ તેમજ સૌનો સહૃદયી સહકાર, આગેવાનો – પત્રકારોની હાજરી, ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભક્તોની હાજરી છતાંય બધું જ શાંતિપૂર્ણ તેમજ આનંદમય માહોલમાં સરસ રીતે પૂર્ણ થયું હતું.
પૂજ્ય જલારામ બાપાનાં વિવિધ નગરોનાં ભજન મંડળોઓ સરસ ભજન ગાયાં હતાં અને તમામ ભજન મંડળોનું વાજતેગાજતે શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.દાતાઓની દરિયાદિલીએ હારિજના ગૌરવમાં વધારો કર્યો હતો.સૌ સંતો, દાતાઓ, સેવાભાવીઓ, પત્રકારો એમ સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા.પૂજ્ય જલારામ બાપાનાં ભજન હારિજમાં શરૂ કરવા માટે પ્રેરિત કરનાર ડીસાના ભગવાનભાઈ બંધુનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજના તમામ ભાઈઓ બહેનોએ કોઈપણ પ્રકારના નામ,માન, સન્માન, પ્રશંસા,સ્ટેજની આશા કે અપેક્ષા સિવાય ચાર ચાંદ લાગે તેવું કામ કર્યું હતું.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજનું સત્કાર્ય, સત્સંગ કાર્ય,ભજન કાર્ય, ગૌસેવાનો વ્યાપ વિસ્તરે અને સમગ્ર સનાતન હિંદુ સમાજમાં ઘેરઘેર પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય તેવી સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.
હારિજ વધારે સુખી, સંસ્કારી, સમૃદ્ધ, તંદુરસ્ત બને તેવી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવી હતી.
હારિજ પૂજ્ય જલારામ બાપાના મહા મહોત્સવમાં ઉડીને આંખે વળગે તેવી બાબત યુવાશક્તિ એટલે કે કોલેજના દીકરા-દીકરીઓની હાજરી ખૂબ જ સારી હતી.સૌનો સંપ, જતું કરવાની ભાવના,એકબીજાની કદર કરવાની ઉત્કટ લાગણી, સોંપાયેલ જવાબદારી પૂર્ણ કરવાની નિષ્ઠા, કોઈને સહેજ પણ અગવડ ના પડે તેવી સૌની કાળજી આ બધું જ સૌને માટે પ્રેરણારૂપ હતું.

નાના નાના સમાજમાં જઈને પણ પૂજ્ય જલારામ બાપાના ભજન થકી સનાતન એકતા, રાષ્ટ્રીય એકતા તેમજ પૂજ્ય જલારામ બાપાના અહોભાવમાં વૃધ્ધિ થાય તેવી હારિજ જલારામ ગૌ સત્સંગ મંડળની કટિબધ્ધતા સરાહનીય, અભિનંદનીય તેમજ અનુકરણીય હતી. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ હારિજના સૌ જલારામ ભક્તોનું ટીમ વર્ક ખરેખર વંદનીય અને પ્રશંસનીય હતું.
હારિજ નગરમાં પૂજ્ય જલારામ બાપાનો મહા મહોત્સવ સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌને આદરપૂર્વક, અદબપૂર્વક, ભાવપૂર્વક વંદન કરી યાદ કરવામાં આવ્યા હતા.અંબાલાલભાઈ ઠક્કર, રાકેશભાઈ હાલાણી,ટીનાભાઈ ઠકકર, હીનાબેન,ધરતીબેન, વર્ષાબેન સહિત તમામ જલારામ ભક્તોનું સંકલન કાબિલેદાદ હતું.
લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કર્યું હતું.
