કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

કેપિટલ મેસેજ
Capital message
સૂતો અને સ્વપ્ન થયું કે જીવન એ સૌંદર્ય છે,
જાગ્યો અને જાણી લીધું કે જીવન એ કર્તવ્ય છે.” આ પંક્તિને સાર્થકકર્તા
પિતાશ્રી સેવંતીલાલ ખેમચંદ શાહ – મૂળ પાટણ
(કુંભારીયા પાડો ), ધર્મનિષ્ઠ, કર્મનિષ્ઠ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના ભીષ્મપિતામહ તરીકે ઓળખાતા હતા તથા માતૃશ્રી શ્રીમતી હેમકુમારીબેન (હેમીબેન/કાંતાબેન) સેવંતીલાલ શાહ ના કુખે
૩ સપ્ટેમ્બર ૧૯૬૧ ના રોજ મુંબઈ ખાતે જન્મ થયો.
સોફિયા કૉલેજમાંથી હોમસાયન્સ (૧૯૮૩) કરેલ
સંગીતમાં વિશેષ અભિરુચિ, ઉત્કૃષ્ટ સ્વિમિંગ કલા અને ચોકલેટ બનાવવાનો ખૂબ જ શોખ હતો, સરળ-મિલનસાર સ્વભાવ અને બાળદેવો પ્રત્યે અસીમ વાત્સલ્ય ધરાવતા હતા.
શ્રીમતી ગીતાબેન શાહ ખાડિયા (અમદાવાદ) ખાતે જન્મેલા સંઘવીશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને લગ્નજીવન સફરની શરૂઆત કરી.
શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ પાટણ પંથકના એક આદર્શ નારીરત્ન, શિક્ષણપ્રેમી અને પરોપકારી વ્યક્તિત્વ તરીકે સાદર ઓળખાય છે. સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ શિક્ષણ વિચારોનો સમન્વય ધરાવતી તેમની જીવનશૈલી નવી પેઢી માટે કાયમી પ્રેરણાદાયક વ્યક્તિત્વ સદૈવ હૃદયસ્થ રહેશે.
સંસ્કાર અને સમર્પણ : તેઓ એક ધાર્મિક, સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંકળાયેલાં રહ્યા , તેમના જીવનમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાગત મૂલ્યો અને કુટુંબભાવના કેન્દ્રસ્થાને રહ્યા .
પતિ શ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના પ્રત્યેક સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાયિક કાર્યોમાં તેમણે એક સક્ષમ સહધર્મચારિણી તરીકે હંમેશાં સક્રિય પ્રોત્સાહન અને સાથ આપ્યો છે.
તેમના સ્વભાવમાં રહેલી વિનમ્રતા, સ્નેહાળ વર્તણૂક અને સાલસતા તેમને મળનાર દરેક વ્યક્તિના હૃદયમાં વિશેષ સ્થાન રહ્યું છે.
વૈભવી સાધનોની ઉપલબ્ધિ વચ્ચે પણ સાદગીપૂર્ણ રહેણીકરણી અને નિયમિતતા તેમની દિનચર્યાની મુખ્ય ઓળખ રહી છે.
ઈશ્વરભક્તિ, જૈન દર્શનના અહિંસા અને કરુણા જેવા મૂળભૂત સિદ્ધાંતોનું પાલન તેમજ નિયમિત સાધના તેમના જીવનનો અભિન્ન અંગ રહ્યો છે.
જીવદયા,પરોપકાર અને મૂંગા પશુ-પક્ષીઓ પ્રત્યે કરુણા, અન્નક્ષેત્ર અને જરૂરિયાતમંદોને ગુપ્ત સહાય જેવી માનવતાવાદી પ્રવૃત્તિઓ તેમની રોજિંદી જીવનશૈલી સાથે વણાયેલી રહી.
શિક્ષણ અને નારી સશક્તિકરણ પ્રત્યે અભિગમ કાયમી રહ્યો.
વિદ્યાદાન એજ શ્રેષ્ઠ દાન તેમનું દ્રઢપણે માનવું છે કે જ્ઞાન એ જ સાચી સમૃદ્ધિ છે. આ સંકલ્પને કારણે જ પાટણમાં અદ્યતન વિદ્યા સંકુલના નિર્માણમાં પરિવારે મુખ્ય ભૂમિકા ભજવી. કન્યા કેળવણી પ્રત્યે વિશેષ લગાવ: સમાજમાં દીકરીઓ શિક્ષિત અને સ્વાવલંબી બને હંમેશાં તેના આગ્રહી રહ્યાં છે,
શ્રીમતી ગીતાબેન શાહનું જીવન એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે સુખ-સમૃદ્ધિનો સાચો ઉપયોગ સમાજની ઉન્નતિ, શિક્ષણનો પ્રચાર અને માનવસેવામાં સમર્પિત થવામાં જ રહેલો છે.
અકાળે વિદાય : ખૂબ ટૂંકા લગ્નજીવન બાદ ૨૫ જાન્યુઆરી ૧૯૯૬ (મહાસુદ-૬)ના રોજ માત્ર ૩૬ વર્ષની નાની વયે તેમનું દુઃખદ અવસાન થયું.
કહેવાયું છે કે : “અનર્થમાં ખર્ચાય તે અલક્ષ્મી, સ્વાર્થમાં ખર્ચાય તે વિત્ત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અને જ્ઞાન-શિક્ષણ કાર્યમાં વપરાય તે મહાલક્ષ્મી.”
પૂજ્ય વિનોબા ભાવેના કથન અનુસાર “આપે તે દેવ” — આ જીવનસૂત્રને ભામાશા એવા શ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહે ચરિતાર્થ કર્યું છે.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ‘ભારતીય સંસ્કાર નિકેતન, પાટણ’ દ્વારા સંચાલિત આ વિદ્યાલયની સ્થાપના રાષ્ટ્રભક્તિ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાના ઉમદા આશયથી થઈ:
ઈ.સ. ૧૯૮૦માં સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી પૂજ્ય શ્રી ભાનુવિજયજી મહારાજના આશ્રમ ખાતે શિશુમંદિરનાં બીજ રોપાયાં.
ઈ.સ. ૧૯૮૮: બાલમંદિર તથા ગુરુકુળ પદ્ધતિ અનુસાર પ્રાર્થના કક્ષ સાથેના સંકુલની સ્થાપના.
ઈ.સ. ૨૦૦૬: માધ્યમિક વિભાગનો શુભારંભ.
ઈ.સ. ૨૦૧૦: વધતી જરૂરિયાતને ધ્યાને લઈ આધુનિક નૂતન ભવનના નિર્માણનો પ્રારંભ થયો.
ઈ.સ. ૨૦૧૭: ઉચ્ચતર માધ્યમિક વિભાગનો પ્રારંભ.
જ્યારે સંસ્થા નૂતન ભવનના નિર્માણ ખર્ચ માટે ચિંતિત હતી, ત્યારે પૂજ્ય સંતો-ભગવંતોના આશીર્વાદ અને મુકેશભાઈ શાહના માધ્યમથી આધુનિક યુગના સાચા ભામાશા શ્રી રાકેશકુમાર શાહ સંસ્થાના સંપર્કમાં આવ્યા અને મુક્ત કર કમળથી દાનની સરવાણી વહાવી , નૂતન સંકુલ ભવન નિર્માણ: સમગ્ર સંકુલના નિર્માણ માટે રૂ. 2.40 કરોડ (240 લાખ) જેટલું માતબર દાન અર્પણ કર્યું અને
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન પાટણ સંચાલિત ,
શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ ,
બાબુ સાહેબ પન્નાલાલ પુનમચંદ
શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય ,શ્રીમતી હેમકુમારી સેવંતીલાલ ખેમચંદ શાહ
શ્રીસરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક વિભાગ , શ્રીમતી લક્ષ્મીબેન માણેકલાલ ઓતિયા શ્રી સરસ્વતી શિશુ મંદિર શિશુવાટીકા વિભાગનો નવા નામાભિધાન સાથે આરંભ થયો.
શ્રીમતી ગીતાબેન રાકેશભાઈ શાહ અરિહંત ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરીને રૂ. ૧.૦૭ કરોડ (૧૦૭ લાખ) નું દાન અર્પણ કર્યું.
આ ટ્રસ્ટના વ્યાજમાંથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી , અન્ય વિધાર્થી લક્ષી સહાય, વિદ્યાર્થી કલ્યાણકારી યોજનાઓ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કાર્યરત છે.
પાટણ ઉપરાંત અમદાવાદ, ચિત્તોડગઢ, નાસિક, ઉદયપુર, જોધપુર, મોડાસા, પાલિતાણા આબુ, ઉનાવા, ચારુપ મુંબઈ તેમજ કોંકણ મહારાષ્ટ્રમાં પણ શિક્ષણ, આરોગ્ય ધર્મ અર્થે ભામાશા એવા શ્રી રાકેશભાઈ શાહ દાનપ્રવાહ સતત વહેવડાવી રહ્યા છે.
૨૩ માર્ચ ૨૦૧૮ ના રોજ જેમ માતા પોતાના સંતાનની ચિંતા કરે, તેમ આ સંકુલના તમામ બાળકોને પોતાના ગણી કરોડો રૂપિયાનું માતૃવાત્સલ્ય અર્પણ કરવા બદલ સંસ્થા દ્વારા સ્વ. શ્રીમતી ગીતાબેનને સર્વાનુમતે ‘કલ્યાણમા’ નું ગૌરવવંતુ બિરુદ એનાયત કરવામાં આવ્યું.
કૃતજ્ઞતા : શિક્ષણના આ પવિત્ર વિધારૂપી મંદિરનું નિર્માણ કરી બાળકોના ભવિષ્યને અજવાળનાર આ દાનવીર ભામાશાનો સમગ્ર સંસ્થા અને સમાજ અંતઃકરણપૂર્વક ઋણસ્વીકાર કરે છે , કલ્યાણમા ના આશીર્વાદ બાળદેવો પર સદૈવ બની રહે અને ભામાશા શ્રી રાકેશભાઈ શાહની સુખાકારી તથા તંદુરસ્તી માટેની પ્રભુ પ્રાર્થના…..
