અબોલજીવને ઝેર આપતા જીવદયા પ્રેમીઓમાં રોષ

અબોલજીવ પર અત્યાચાર કરીને ઝેર આપનાર વિરૂદ્ધ જીવદયા પ્રેમીઓમાં રોષ અને ધુત્કારની લાગણી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ શહેરના જીઈબી સબસ્ટેશન પાસે આવેલી પંચવટી ટેનામેન્ટ સોસાયટીમાં ઉનાળાની આવી ગરમીમાં એક શ્વાનમાતા એ ત્રણ ગલુડીયાને જન્મ આપ્યો હતો અને તે જગ્યા એ એક જીવદયા પ્રેમી બહેને ગ્રીન નેટ લગાવીને બચ્ચા મોટા થાય ત્યા સુધીને ઉચ્ચક વ્યવસ્થા કરી હતી આ બચ્ચાઓ જ્યા જન્મ્યા હતા એક માસથી ત્યા જ રહેતા અને સુતા હતા એ ક્યારી માં કાલે સોસાયટીના રહીશે ગ્રીન નેટ ફગાવી દીધી બચ્ચાઓને બહાર ફેંકી દિધા અને સમગ્ર ક્યારી ગેમેક્ષીન થી ભરી દિધી રાતે આ અબુધ ગલુડીયા તે ગેમેક્ષીન ચાટી ગયાં અને આજે સવારે બે ગલુડીયા ઝેરની અસરથી મૃત્યું પામ્યા. કોઈ વ્યક્તિ એ રાક્ષસી, પીચાશી કૃત્ય કરીને આ નાના શ્વાન બાળને ઝેર આપીને વૈકુંઠ વાસી કર્યા.

કેવી વક્રોક્તી કહેવાય કે ગઈ કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસ શરૂ થયો છે અને ધર્મ પુજા અને પુણ્યનો પાખંડ કરનાર અમુક સોસાયટીના રહીશો એ પવિત્ર માસના પ્રથમ દિવસે?જ આવું અધમ પાપ કૃત્ય કર્યું
> કોઈ તમને મળવા આવે કે ના આવે તમારા કર્મો એક દિવસ જરૂર તમને મળવા આવશે ત્યારે કોઈ માનવ હેરાન કે અવાક ના થતાં
`ૐ શાંતી`
