Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ગણિતના ઋષિ શ્રીનિવાસ રામાનુજન: મૌલિક વિચારશક્તિ અને પ્રખર પ્રતિભાનો સંગમ
ગુજરાત

ગણિતના ઋષિ શ્રીનિવાસ રામાનુજન: મૌલિક વિચારશક્તિ અને પ્રખર પ્રતિભાનો સંગમ

Rajeshkumar Jadav
Last updated: April 25, 2026 10:59 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

લેખક: ડૉ. ધનરાજ કે. ઠક્કર

(આચાર્ય: શેઠ એમ.એન. હાઇસ્કૂલ, પાટણ)

ગણિતના ઋષિ શ્રીનિવાસ રામાનુજન: મૌલિક વિચારશક્તિ અને પ્રખર પ્રતિભાનો સંગમ

૨૬મી એપ્રિલ: પુણ્યતિથિ વિશેષ

More Read

ડભોઈ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ની ભવ્ય ઉજવણી
રાધનપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાધનપુરમાં મહિલાઓના જનઆંદોલનનો પડ્યો પ્રભાવ
રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

ભારતની પવિત્ર ભૂમિએ અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે, પરંતુ ગણિતના અનંત આકાશમાં જેની ચમક અજોડ છે તે નામ એટલે શ્રીનિવાસ રામાનુજન. ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ તમિલનાડુના ઇરોડ ગામે એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ ગણિતશાસ્ત્રીનું આયુષ્ય માત્ર ૩૨ વર્ષનું જ રહ્યું, પરંતુ આ અલ્પ આયુમાં તેમણે વિશ્વને જે જ્ઞાન આપ્યું છે તે આજે એક સદી બાદ પણ અકલ્પનીય છે. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે, તેમના સંઘર્ષ અને આધુનિક શિક્ષણ પદ્ધતિમાં તેમની પ્રાસંગિકતા વિશે ચિંતન કરવું અનિવાર્ય છે.

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

 

ગરીબી અને સુવિધાઓનો અભાવ ક્યારેય અવરોધ નથી

 

રામાનુજનનો પરિવાર અત્યંત સાધારણ હતો. આર્થિક સંકડામણ એટલી કે કાગળ ખરીદવાના પૈસા પણ નહોતા. તેઓ મિત્રો પાસેથી પુસ્તકો ઉછીના લેતા અને સ્લેટ પર ગણિતના પ્રમેયો ઉકેલતા. કાગળ બચાવવા માટે તેઓ સ્લેટ ભરાઈ જાય પછી જ અંતિમ તારણો કાગળ પર ઉતારતા. આજના વિદ્યાર્થીઓ, જે તમામ ભૌતિક સુવિધાઓ વચ્ચે પણ નાની-નાની અગવડતાની ફરિયાદ કરે છે, તેમના માટે રામાનુજન એક જીવંત ઉદાહરણ છે કે, સાધનો કરતાં ‘સાધના’ અને સુવિધા કરતાં ‘લગન’ વધુ મહત્ત્વના છે.

 

નિષ્ફળતા એ અંત નથી, નવી શરૂઆત છે

More Read

હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત

 

રામાનુજન ગણિતમાં એટલા ઓતપ્રોત હતા કે કોલેજની પરીક્ષામાં અન્ય વિષયોમાં તેઓ અનુત્તીર્ણ થયા હતા. પરંતુ આ નિષ્ફળતાએ તેમના આત્મવિશ્વાસને ડગાવ્યો નહીં. તેમણે સાબિત કર્યું કે કોઈ એક પરીક્ષાનું પરિણામ તમારી પ્રતિભાનું માપદંડ હોઈ શકતું નથી. જો તમારામાં કોઈ એક વિષય પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને સમર્પણ હોય, તો વિશ્વની કોઈ શક્તિ તમને સફળ થતા રોકી શકતી નથી.

 

આજના ‘ટ્યુશન યુગ’ માટે મોટી શીખ

 

આજના સમયમાં આપણે જોઈએ છીએ કે, વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી જ ભારેખમ દફતર અને ટ્યુશન ક્લાસના ભાર નીચે દબાયેલા રહે છે. ટ્યુશનના કારણે કદાચ પરીક્ષામાં ગુણ આવી જાય, પણ મૌલિક વિચારવાની શક્તિ કુંઠિત થઈ જાય છે. રામાનુજન કોઈ ‘કોચિંગ ક્લાસ’ માં ગયા નહોતા; તેમની પાસે માત્ર એક પુસ્તક અને અનંત જિજ્ઞાસા હતી. તેઓ માત્ર દાખલા ગણતા નહોતા, પણ ગણિત સાથે સંવાદ કરતા હતા.

આજના ‘ગોખણપટ્ટી’ ના યુગમાં રામાનુજનનું જીવન શીખવે છે કે, સાચું જ્ઞાન પુસ્તકો કંઠસ્થ કરવાથી નહીં, પણ વિષયને અનુભવવાથી અને તેના પર મૌલિક ચિંતન કરવાથી ખીલે છે. જ્યારે વિદ્યાર્થી સ્વયં પ્રશ્ન પૂછતો થાય અને જાતે ઉકેલ શોધવાની મથામણ કરે, ત્યારે જ તેના બૌદ્ધિક દ્વાર ખુલે છે. જો આપણે રામાનુજનમાંથી સાચી પ્રેરણા લેવી હોય, તો ટ્યુશન પરની નિર્ભરતા ઘટાડીને ‘સ્વાધ્યાય’ અને ‘મૌલિકતા’ કેળવવી પડશે.

 

રામાનુજન નંબર: ૧૭૨૯ નો જાદુ

 

ગણિતની દુનિયામાં ૧૭૨૯ નંબર આજે પણ ‘હાર્ડી-રામાનુજન નંબર’ તરીકે વિખ્યાત છે. જ્યારે બ્રિટિશ ગણિતશાસ્ત્રી જી.એચ. હાર્ડી તેમને હોસ્પિટલમાં મળવા ગયા, ત્યારે તેમણે પોતાની ટેક્સીનો નંબર ૧૭૨૯ કહ્યો અને તેને કંટાળાજનક (Dull) ગણાવ્યો. રામાનુજને ત્વરિત ઉત્તર આપ્યો, “ના, આ એક અદ્ભુત સંખ્યા છે; કારણ કે તે એવી સૌથી નાની સંખ્યા છે જેને બે અલગ-અલગ રીતે બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે દર્શાવી શકાય છે.”

 

1729 = 10³ + 9³ = 12³ + 1³

 

સંસ્કાર અને સાદગીનો સમન્વય

 

કેમ્બ્રિજ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં સંશોધન કરવા છતાં, રામાનુજન ક્યારેય પોતાની ભારતીયતા, સંસ્કાર અને સાદગી ભૂલ્યા નહોતા. તેઓ માનતા કે જે સમીકરણ ઈશ્વરનો વિચાર રજૂ ન કરતું હોય, તે મારા માટે નિરર્થક છે. વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો આવો સમન્વય વિરલ છે.

ઉપસંહાર:

રામાનુજને માત્ર ૩૨ વર્ષના આયુષ્યમાં ૩૯૦૦ જેટલા સમીકરણો અને પ્રમેયો વિશ્વને અર્પણ કર્યા. ૨૬એપ્રિલ, ૧૯૨૦ના રોજ ગણિતનો આ સૂર્ય અસ્ત થયો, પરંતુ તેમના જ્ઞાનનો પ્રકાશ આજે પણ અવિરત છે. આજે તેમની પુણ્યતિથિએ આપણે સૌ સંકલ્પ કરીએ કે, આપણે માત્ર માર્કસ પાછળ દોડનારા ‘રોબોટ’ નહીં, પણ રામાનુજન જેવા ‘વિચારક’ બનીએ. સાચો વિદ્યાર્થી એજ છે કે, જે પ્રશ્ન પૂછવાની હિંમત રાખે અને મૌલિક વિચારવાની શક્તિ કેળવે. તેજ ગણિતના આ ઋષિને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુર કોલેજમાં ભવ્ય વય સેવા નિવૃત્તિ સમારોહ
Next Article કલેકટર તુષાર ભટ્ટ દ્વારા મતદાન માટે જનતાને આગ્રહભરી અપીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી

ગુજરાત

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

ગુજરાત

દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video