ડભોઇએ 2026ના ધો-10 બોર્ડ પરિણામોમાં એક વાર ફરી ઐતિહાસિક સફળતા નોંધાવી છે.

ડભોઇની જૂની અને જાણીતી શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર, ડભોઇ કેન્દ્રમાં પ્રથમ આવનારી મુક્તાકુમારી પ્રવિણભાઇ રાઠવા – 99.87 PR શાળા પરિવાર દ્વારા પેંડા ખવડાવી તેઓના અભિનંદન પાઠવ્યા હતા
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ખુશીની લહેર મા-બાપમાં પણ જાગી ગઈ હતી તમામને સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોાઈવાલા તેઓએ પણ વિદ્યાર્થીઓના આશીર્વાદ આપ્યા હતા
શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર-ધોરણ 10 ફેબ્રુયારી- માર્ચ – 2026નું ઉત્તમ પરિણામ શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર, ડભોઇએ 2026ના ધોરણ-10 બોર્ડ પરિણામોમાં એક વાર ફરી ઐતિહાસિક સફળતા નોંધાવી છે. ગુજરાતી માધ્યમના વિધાર્થીઓએ સર્વોત્તમ પરિણામ આપતાં શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું છે.વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે, ધોરણ :10 બોર્ડ પરિણામની ઊંચી ટકાવારી પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલા એવા વિધાર્થીઓ શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર સ્કૂલના છે, જે શાળાની પ્રતિષ્ઠાને વધુ ઉંચાઈ પર લેશે.શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર સ્કૂલ પરિણામ ગુજરાતી માધ્યમ પરિણામ ધોરણ – 10 શાળાનું પરિણામ : 67.82 %ઉત્તમ પ્રદર્શન કરનાર વિધાર્થીઓ:
મુક્તાકુમારી પ્રવિણભાઇ રાઠવા – 99.87 PR (ડભોઈ કેન્દ્રમાં પ્રથમ )વેદાંત દિપકભાઇ ભાવસાર – 99.62 PR (ડભોઈ કેન્દ્રમાં તૃતીય)ક્રિષીવ કેતનભાઇ માળી – 97.23 PR
આ સિદ્ધિ પાછળ શાળાના પ્રમુખ દિપકભાઈ ગોપાલભાઈ .ભોઇવાલા સએડમિનિસ્ટ્રેટર, આચાર્યશ્રી, તમામ પરિશ્રમશીલ શિક્ષકો, સહયોગી વાલીશ્રીઓ અને આત્મવિશ્વાસી વિધાર્થીઓની અથાગ મહેનતનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે.શાળાએ આ સિદ્ધિને ઉજવતી વેળાએ ભવિષ્યમાં પણ વિધાર્થીઓ ઊંચા લક્ષ્યો હાંસલ કરે તે માટે શ્રેષ્ઠ શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
