દાતાઓની પીવાના પાણીની પરબ ગાયબ, કરોડો ખર્ચ બાદ હાલ બિસ્માર સ્થિતિ

ડભોઇ નગરપાલિકા હાથ વિસ્તારમાં છ પીવાની પરબો દાતાઓ દ્વારા બનાવવામાં આવી હતી ભારત ટોકીઝ પાસે શાળા બનાવવામાં આવી પરબ ગાયબ જ્યારે એસટી ડેપો રોડ પર સરદારબાગ બનાવવામાં આવ્યું ક્યાંથી પીવાના પાણીની પરબ ગાયબ માત્ર હવે ચાર પરબ એની પણ હાલ કોન્ડમ હાલતમાં દાતાઓના પૈસા પાણીમાં
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઈમાં પાણીની પરબોની બિસ્માર હાલત : દાતાઓનું દાન એળે ગયું ડભોઈ નગરના જીવદયા પ્રેમી દાતાઓએ ગરમીની અને દિવસોમાં ગરીબ પ્રજાજનોને પીવાના પાણીની પરબો બનાવડાવી છે. તે પૈકી કેટલીક પરબોમાં તો ઈલેક્ટ્રીક કુલરો પણ ગોઠવવામાં આવ્યા હતા. જેનો વહીવટ અને વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવે છે. પણ આ પરબોની સફાઈ કરવામાં જ નથી આવતી તો કેટલીક પરબોના બંધ થવાને આરે છે. જ્યારે ઠંડા કુલર વાળી પરબોના હાલ બદતર છે. ધણા કુલરવાળા પરબો પાસે ઉભા રહેતા ઠંડા પાઉચનું વેચાણ કરનારા નળોને તોડી પાડે છે આવી ઘોર અવ્યવસ્થા ને લઈને બધીજ પરબો નિયમિત સફાઈ થાય અને તુટેલા નળ નવેસરથી નંખાય તોજ દાતાઓનો ધ્યેય પરિપૂર્ણ થશે. ગરીબોને તરસ બુઝાવતાં આશીર્વાદ કે ન્દ્રોની દેખભાળ રાખવા જબરજસ્ત માંગ ઉઠી છે.પહેલાના વર્ષોમાં વટેમાર્ગુઓને સ્વચ્છ પીવાનું પાણી અને તેમાય ગરમીના દિવસોમાં તરસ છીપાવવા માટલાની પરબો મંગાવીને જીવદયા પ્રેમ તથા તરસ્યાને પાણી પીવડાવવાનું મહાપુણ્ય મેળવવા માટે ગમે તે ધર્મના ખમતીધરો-પુણ્યનું કાર્ય કરતાજ રહ્યા હતા.

આ પ્રણાલીને ડભોઈ જે આજુબાજુ ના ત્રણ તાલુકાઓના ચારસો ઉપરાંત નાના મોટા ગામોના રહીશોના રોજિંદા જીવન વ્યવહાર સાથે ડભોઈ નગરને સંકળાયેલા છે.નગરમાં આવતા બહારના કે ગામના રહીશો પીવાના પાણીની તકલીફ ન પડે તે પાણીની પરબનું લોકાર્પણ કર્યું હતું એક કાઠિયાવાડી પરિવારે એસ.ટી.ડેપો પાસે ઠંડા પાણીના કુલર સાથે નગરજનો સુપ્રત કર્યું હતું. આજે આ પરબની સફાઈ કરવામાં નથી આવતી જેથી દુષિત પાણી લાગે તેમજ પાણીનો ઉપયોગ સેવઉસળ-ભજીયાવાલા અને ચાની રેકડીવાળા નળમાં પાઈપ નાંખી કેનો ભરીને લઈ જાય છે. તે દુષિત પાણી

આમ જનતા પીવે છે. પાલિકા તંત્રે કોઈ દિવસ સફાઈ કરાવી નળ નાંખ્યા છે તેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે હીરાભાગોળ અને નાંદોદી ભાગોળ બહાર પણ ગ્રામ્ય દાતાઓએ પાણીની પરબ બંધાવી છે. ડભોઈના ભરચક વિસ્તાર ટાવર પાસે મહાલક્ષ્મી બેંકના સહયોગથી વોટરકુલર સાથે પીવાના પાણીની પરબો બનાવી છે તેનો વહીવટ નગરપાલિકાને વર્ષોથી સુપ્રત કર્યો છે.આ પરબોમાં નિયમીત પાણી ભરાઈ તેના પીવાના પાણીના બેસાડેલ નળ પુરતા પ્રમાણમાં કાર્યરત રહે ઈલેકટ્રીક કુલરોની મરામત થાય પરબોની નિયમીત સફાઈ થાય તેજોવાની ફરજ પાલિકા તંત્રની છે કમનસીબીની હકકીત એવી છે કે આ પીવાના પાણીની સગવડ કરાવશે તો તે પણ પુણ્યના હક્કદાર બની શકે છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
