કલોલ ના ધાનજ ગામમાં ભુવાની ધતિંગલીલા નો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા.

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ભુવાની પાંચ વર્ષની ભુવાની પાંચ વર્ષની કપટ લીલા બંધ કરાવતું જાથા.
પૂર્વજ/ પિતૃ બેસાડવાના નામે લોકોમાં ભ્રમ ફેલાવતો ભૂવો.
ભુવા જયેશ પ્રજાપતિએ કબુલાતનામુ આપી લોકોની માફી માગી લીધી.
ભુવાના સમર્થકો પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા.
વિજ્ઞાન જાથાનો 1288 મો સફળ પર્દાફાસ.
જાથાએ પોલીસ તંત્ર એસ.પી.નો આભાર માન્યો.
વકીલ,નગર સેવકે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો.
અમદાવાદ : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનેજ ગામે ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષથી ધતિંગ લીલા આચારતો ભુવો જયેશ નટવરલાલ પ્રજાપતિ નો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલોલ પોલીસ સ્ટેશનની મદદથી 1288 મો સફળ પર્દાફાસ કર્યો હતો. પોલીસ સ્ટેશને ભુવાના સમર્થકો ઉમટી પડતા પોલીસે લાલ આખ કરવાની ફરજ પડી હતી. ભુવાએ શરણાગતિ સ્વીકારી ક્બુલાત નામું આપી લોકોની માફી માંગી લીધી હતી. બનાવની વિગત પ્રમાણે ધાનજ ગામમાં પોતાના ઘરમાં સિકોતેરમાં ,નાગદેવતા , ગોગા મહારાજ નો સ્થાપન કરી ભુવો જયેશ નટવરલાલ પ્રજાપતિ સેવા પૂજા સાથે ભુવા પણું કરતો હતો.દર પાંચમ ના દિવસે સવારે 10 થી બપોર સુધી પાટ નાખી દાણા જોવાનું કામ કરતો હતો. દુઃખી લોકો જોવડાવા આવતા હતા. ભુવો પિતૃનું સ્થાપન અને પૂર્વજનુ સ્થાપન કરાવી ભ્રમમાં નાખી ગુમરાહ કરતો હતો.લોકોની જુદી જુદી સમસ્યાઓનું નિરાકરણ કરતો હતો. જે લોકોને સારું થયું ન હતું.તેઓએ વિજ્ઞાન જાથાને પોતાની આપ વીતી જણાવી હતી અને ઢોંગીનો પર્દાફાસ કરવાની વાત મૂકી હતી.

સિધ્ધપુર પાટણના ભોગ બનેલ વૃદ્ધે પોતાની આપવીતી જણાવતા જાથાએ પર્દાફાસ કરવાનું નકી કર્યું હતું.જાથા ના ચેરમેન એડવોકેટ જ્યંત પડ્યાંયે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી પોલીસ બંદોબસ્ત ની માંગણી કરી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.ગઢવીને સુચના મોકલી હતી.રાજકોટ થી જાથા ના જ્યંત પંડ્યા ના વડપણ હેઠણ રોમિત રાજદેવ ,ગુલાબસિંહ ચૌહાણ ,સાહિલ રાજદેવ , ભક્તિબેન રાજગોર ,ભાનુબેન શેઠિયા સહિત સ્થાનિક કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ત્યાં પોલીસ ના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બળદેવભાઈ, ,નીતિનભાઈ પ્રવીણભાઈ ,ભદ્રેશસિંહ ઘનશ્યામસિંહ ,વાલજીભાઈ દેવરાજભાઈ ,સુનિલ હરીચંદ્ર ,અનવરભાઈ લાડભાઈ ,હર્ષિદાબેન ભરતગિરિ બંદોબસ્ત માટે તૈયાર હતા. પોલીસ કાફલા સહિત જાથાની ટીમ માતાજીના મઢે તથા ખેતરે પહોંચી ત્યાં જ્યંત પંડ્યાએ પરિચય આપી ધતિંગલીલા કપટલીલા બંધ કરાવવા આવ્યા છીએ.પિતૃનુ બેસાડવું અને દાણા જોવા કાનુની અપરાધ છે. તેની સમજ આપી પોલીસ સ્ટેશને આવવા જણાવ્યું હતું. પોલીસ સ્ટેશને ભુવો ભાંગી પડ્યો હતો. તેને ભૂલ કબૂલી કબૂલાતનામું આપવા તૈયાર થઈ ગયો હતો.માફી નામું આપી લોકોની જાહેર માફી માંગી કાયમી બંધ ની જાહેરાત કરી દીધી હતી. વકીલ અને નગર સેવક વચ્ચે આવતા મામલો થાળે પડ્યો હતો. જાથાએ પોલીસ સ્ટેશન અને એસ.પી.નો આભાર માન્યો હતો.
