રેતી માફિયાનો ડેથ ટ્રેપ: મગરે યુવાનને બનાવ્યો શિકાર

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ રેતી માફિયાઓએ ખોદેલા ખાડા બન્યા ડેથ ટ્રેપ ભિલોડિયાના યુવાનને મગરે ફાડી ખાધો ડભોઈ તાલુકાના સીતપુર અને ભિલોડિયા પંથકમાં ભૂમાફિયાઓના પાપે વધુ એક નિર્દોષનો જીવ ગયો; ગ્રામજનોમાં ભારે રોષ
ડભોઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં રેતી ખનન કરતા ભૂમાફિયાઓનો આતંક હવે માનવ જિંદગી પર ભારે પડી રહ્યો છે. સીતપુર અને ભિલોડિયા ગામની સીમમાં રેતી ચોરી માટે કરવામાં આવેલા મોટા ખાડાઓમાં ભરાયેલા પાણી હવે મગરોનું નિવાસસ્થાન બની ગયા છે. આવી જ એક ગંભીર ઘટનામાં ભિલોડિયા ગામના એક ૩૫ વર્ષીય યુવાનને મગરે શિકાર બનાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગત: પાણી ભરવા ગયેલા યુવાન પર કાળનો પંજો ભિલોડિયા ગામના રહેવાસી મનોજભાઈ રામાભાઇ તડવી (ઉંમર વર્ષ ૩૫) ગત રોજ પાણી ભરવા માટે ગયા હતા. રેતી ખનનને કારણે રચાયેલા ઊંડા ખાડામાં જમા થયેલા પાણીમાં ઓચિંતા જ મગરે તેમના પર હુમલો કર્યો હતો. મગર યુવાનને ખેંચીને ઊંડા પાણીમાં લઈ ગયો હતો પાંચ કલાકની શોધખોળ: ઘટનાની જાણ થતા જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. અંદાજે ૫ કલાકની ભારે જહેમત અને શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી: ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યો હતો.
ભૂમાફિયા અને તંત્રની મિલીભગત સામે સવાલ સ્થાનિકોનો આક્ષેપ છે કે સીતપુર અને આસપાસના વિસ્તારોમાં ભૂમાફિયાઓએ નિયમોને નેવે મૂકીને રેતી કાઢવા માટે વિશાળ અને ઊંડા ખાડા કરી દીધા છેમગરોનો વસવાટ: આ ખાડાઓમાં નદીના પાણી ભરાતા મગરો ત્યાં આવી જાય છે, જે પશુઓ અને માણસો માટે જીવતું જોખમ બન્યા છે.
વન વિભાગની નિષ્કાળજી: ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં મગરોને પાંજરે પૂરવા કે આ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.ગ્રામજનોની ઉગ્ર માંગ આ ઘટનાને પગલે ભિલોડિયા અને સીતપુરના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની મુખ્ય માંગણીઓ છે કે નદી કિનારે અને ખેતરોમાં ગેરકાયદે ખનન કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.મગરોને તાત્કાલિક પાંજરે પૂરી અન્યત્ર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.મૃતક યુવાનના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે રેતી ખનન દ્વારા કુદરતી સ્ત્રોતોનું નુકસાન તો થઈ જ રહ્યું છે, પણ હવે તે માનવભક્ષી મગરોને રહેઠાણ પૂરું પાડીને નિર્દોષોના જીવ લઈ રહ્યું છે. તંત્ર જાગશે કે હજુ વધુ એક મૃત્યુની રાહ જોશે”
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
