Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
ગુજરાત

રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

Rajeshkumar Jadav
Last updated: June 18, 2026 10:12 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

રાધનપુરમાં 7 કરોડના ખર્ચે મસાલી રોડના કામ સામે ઉઠ્યા ગંભીર સવાલો, પાણી ભરાયેલી સ્થિતિમાં રોડ નિર્માણનો વીડિયો વાયરલ

More Read

હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત

ઢીંચણ સમા પાણીમાં રોડ બનાવવાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ, ગુણવત્તા અને દેખરેખ અંગે અનેક પ્રશ્નો

રાધનપુરમાં બુદ્ધિ નું પ્રદર્શન – પાણીમાં રૉડ બનાવવાની કામગીરી સામે જનરોષ ફાટ્યો, તંત્રની મીલીભગત પ્રજાના પૈસા પાણીમાં કે પાણીમાં રૉડ.!!

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મસાલી રોડ પર ચાલી રહેલા અંદાજે 7 કરોડ રૂપિયાના માર્ગ નિર્માણ કાર્યને લઈને ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં પાણી ભરાયેલી સ્થિતિ વચ્ચે રોડ બનાવવાની કામગીરી થતી હોવાનું દેખાતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને સમગ્ર કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

More Read

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન
વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

વાયરલ વીડિયોમાં ગટરનું ઉભરાતું પાણી અને ઢીંચણ સમા પાણી વચ્ચે રોડ નિર્માણની કામગીરી કરવામાં આવી રહી હોવાનું દેખાતા લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય રીતે માર્ગ નિર્માણ માટે સુકી અને ટેકનિકલ ધોરણોને અનુરૂપ સપાટી જરૂરી માનવામાં આવે છે, ત્યારે પાણી ભરાયેલી સ્થિતિમાં થઈ રહેલી કામગીરી કેટલા સમય સુધી ટકાઉ રહેશે તે મુદ્દે લોકોમાં ચર્ચા જામી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ મસાલી રોડ રાધનપુર શહેરનો મહત્વનો માર્ગ છે, જે આશરે 8 જેટલા ગામોને જોડે છે તેમજ 15થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ માટે દૈનિક અવરજવરનો મુખ્ય માર્ગ છે. આવા મહત્વના માર્ગના નિર્માણ દરમિયાન ગુણવત્તા અંગે બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

વાયરલ થયેલા વીડિયોને પગલે લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો પાણીની હાજરીમાં રોડ બનાવવામાં આવે તો ભવિષ્યમાં રસ્તા પર તિરાડો પડવી, સપાટી ઉખડી જવી, ખાડા પડવા અથવા પ્રથમ જ વરસાદમાં માર્ગ ધોવાઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે તેવી ચર્ચા થઈ રહી છે. જોકે આ અંગે સંબંધિત વિભાગ અથવા તકનિકી નિષ્ણાતો તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા માર્ગના કામ દરમિયાન ગુણવત્તા નિયંત્રણ માટે જવાબદાર અધિકારીઓ દ્વારા પૂરતી દેખરેખ રાખવામાં આવી રહી છે કે નહીં. રોડ નિર્માણની પ્રક્રિયા દરમિયાન એન્જિનિયરિંગ ધોરણોનું પાલન થાય છે કે નહીં અને સ્થળ પર નિયમિત ચકાસણી કરવામાં આવે છે કે નહીં તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

આ માર્ગનું કામ અંજાર સ્થિત ધરતી કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. વાયરલ વીડિયાના કારણે કંપનીની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે જાહેર નાણાંમાંથી થતી વિકાસ કામગીરીમાં ગુણવત્તા અને પારદર્શિતા જળવાય તે અત્યંત જરૂરી છે.

More Read

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ
પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ
વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ચોમાસાની શરૂઆત સાથે જ મસાલી રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે. ત્યારે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યા વગર રોડ નિર્માણની કામગીરી કરવામાં આવી રહી હોવાના મુદ્દે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા રહેવાસીઓનું માનવું છે કે જો ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય ન હોય તો ભવિષ્યમાં ફરી માર્ગને નુકસાન પહોંચી શકે છે.

વાયરલ થયેલા વીડિયોએ હવે સમગ્ર માર્ગકામની ગુણવત્તા, દેખરેખ, જવાબદારી અને ખર્ચ અંગે જાહેર ચર્ચા શરૂ કરી છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર કામગીરીની તકનિકી તપાસ કરવામાં આવે અને જો કોઈ ખામી જણાય તો જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

હાલ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે આર એન્ડ બી વિભાગ, સંબંધિત અધિકારીઓ અથવા નગરપાલિકા તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં તેના પર લોકોની નજર મંડાઈ છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

ગુજરાત

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

ગુજરાત

શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.

ગુજરાત

યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video