Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સમી તાલુકાના માંડવી સીમમાં નીલગાયોના શિકારથી ખળભળાટ
ક્રાઈમ

સમી તાલુકાના માંડવી સીમમાં નીલગાયોના શિકારથી ખળભળાટ

Rajeshkumar Jadav
Last updated: May 21, 2026 2:57 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

સમી તાલુકાના માંડવી સીમમાં નીલગાયોના શિકારથી ખળભળાટ – 3 નીલગાયના શિકાર બાદ શિકારીઓ ફરાર

બંદૂકના ફાયરિંગ બાદ સ્થાનિકો દોડી આવ્યા, શિકારીઓ કાર મૂકી ફરાર, વનવિભાગએ તપાસ શરૂ કરી

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ડોક્ટર પાસેથી 25 લાખની ખંડણી કેસમાં નથવાણી દંપતીને આગોતરા જામીન
અબોલજીવને ઝેર આપતા જીવદયા પ્રેમીઓમાં રોષ
રાજુલા તાલુકાના ડુંગર ગામે લીલાપીર બાપુની મજાર ખાતે ચોરીની ઘટના
એટ્રોસિટી કેસમાં સુખદ સમાધાન!

Capital message 

પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામની સીમમાં મધરાતે નીલગાયોના શિકારની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ મધરાતે અંદાજે બે વાગ્યાના સમયે શિકારીઓએ બંદૂક વડે ત્રણ નીલગાયોને નિશાન બનાવી શિકાર કર્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.સ્થાનિક ખેડૂતો અને ખેતર આસપાસ રહેતા લોકોને મધરાતે અચાનક બંદૂકના ફાયરિંગનો અવાજ સંભળાતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ તરફ દોડી આવ્યા હતા. શંકાસ્પદ હલચલ જોતા સ્થાનિકોએ તરત જ 112 ઈમરજન્સી સેવા પર પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે પોલીસની ગાડી આવતા જ શિકારીઓ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી બે બ્લેક કલરની સેન્ટ્રો કાર હોવાની વિગતો સામે આવી છે, જેમાંથી એક કાર શિકારીઓ સ્થળ પર જ મૂકી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક નીલગાયનું માસ કટીંગ કરીને ગાડીમાં ભરેલું મળી આવ્યું હતું, જ્યારે અન્ય બે નીલગાયોના મૃતદેહ પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગે મૃત નીલગાયોના પોસ્ટમોર્ટમ અને વધુ કાર્યવાહી માટે 1962ની ટીમને જાણ કરી હતી.

More Read

સાંતલપુરના હથિયાર કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.એ દબોચ્યો
સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો
સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ
રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

વન વિભાગના અધિકારી ડી.એસ. સિંધવે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, “સવારે વહેલી તકે એક જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સામાજિક વનીકરણ વિભાગના સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી બે મૃતદેહ અને કંકાલ મળી આવ્યા હતા જેને કબજે લેવામાં આવ્યા છે. ઉપરાંત એક સેન્ટ્રો કાર પણ કબજે લેવામાં આવી છે અને સમગ્ર મામલે ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.”

નીલગાય જેવા વન્ય પ્રાણીઓના ગેરકાયદે શિકારની ઘટનાએ વન્યજીવ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વિસ્તારમાં સતત વધી રહેલી શિકારની પ્રવૃત્તિઓને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ વન વિભાગ અને પોલીસ દ્વારા ફરાર શિકારીઓને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય
Next Article ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં

ક્રાઈમ

રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર

ક્રાઈમ

સમી વિસ્તારમાં દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

ક્રાઈમ

રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ

ક્રાઈમ

પાટણ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : બટાકાની આડ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video