ડભોઇમાં રેલ્વેની 100+ નોટિસોથી વિસ્તારમાં ભયનો માહોલ!

ડભોઇ મહુડી ભાગોળ અને ઇદગાહ વિસ્તારમાં ની આસપાસ રહેતા લોકોને 100 ઉપરાંત નોટિસ રેલ્વે દ્વારા આપવામાં આવી છે વિસ્તારમાં રહેતા લોકોમાં નોટિસ આવતા ફફરાટ જોવા મળી રહ્યો છે
કેપિટલ મેસેજ, ન્યુઝ
વર્ષોથી રેલવેની આસપાસ રહેતા લોકોને હાલ રેલવે મોટી લાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે ડભોઈ થી વાઘોડિયા ની પણ ચાલી રહી છે જેને લઈને આસપાસ રહેતા લોકોને છેલ્લા દસ દિવસમાં ખાલી કરી દેવાની નોટિસ આપવામાં આવી છે ડભોઇ રેલ્વે સ્ટેશન ની આસપાસ રહેતા લોકોને રેલવે તંત્ર દ્વારા અપાય નોટિસ દસ દિવસમાં તેનો જવાબ આપવા માટે અપાય નોટિસ અને સરકારી જગ્યામાં હોય દુકાન મકાન દસ દિવસમાં તેના પુરાવા ના હોય તો દસ દિવસમાં ખાલી કરી દેવા ની સૂચના આપવામાં આવી છે નોટિસો આપવામાં આવી છે ઘરે ના હોય તો ઘરના બહાર નોટિસ લગાવવામાં આવી છે

પશ્ચિમ રેલ્વે સિનિયર સેક્શન એન્જિનિયર (વક્સ) બરોડા ડિવિઝન ડભોઈ રેલ્વે સ્ટેશન યાર્ડ રેલ્વે જમીન પર અનધિકૃત કબજો અને અતિક્રમણ અંગે. ,ડભોઈ રેલ્વે સ્ટેશન યાર્ડ, રેલ્વે લેન્ડ પ્લાન (નકસા) મુજબ તમારા પાકું/કાચું, ઘર/દુકાન/ વગેરે રેલ્વેની જમીન પર જોવા મળે છે.તેથી, તમને વિનંતી છે કે તમે આ સૂચના પત્ર મળ્યાની તારીખથી 10 દિવસની અંદર તમારા કાયમી ઘર, દુકાન, ડેમનું કામ, મકાન વગેરે સ્વેચ્છાએ દૂર કરો નહિંતર તમારા ઘર/દુકાન વગેરેને રેલવે દ્વારા તોડી પાડવામાં આવશે. રેલવે અતિક્રમણ દૂર કરવાના કાર્ય દરમિયાન તમારા સામાનને થયેલા કોઈપણ નુકસાન અથવા નુકસાન માટે તમે જવાબદાર રહેશો. અને જો તમે કામમાં અવરોધ ઊભો કરશો. તો તમારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ જાણવા મળેલ છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
