નર્મદેશ્વર મંદિરે પરશુરામ જન્મોત્સવે મહા આરતીનો ભવ્ય નજારો!

ડભોઈ ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય ‘મહા આરતી યોજાઈ
કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઈ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને અજેય શક્તિના પ્રતિક એવા શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ડભોઈ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરની આયુષ્ય સોસાયટીમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ સમાજ અને સ્થાનિક રહિશો દ્વારા ભક્તિભાવપૂર્વક મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
રાજકીય અગ્રણીઓ અને ભક્તોની ઉપસ્થિતિ આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં બી.જે બ્રહ્મભટ્ટ પ્રમુખ, વડોદરા જિલ્લા ભાજપ સોનલબેન કિશોરભાઈ સોલંકી તેમજ આસપાસના વિસ્તારના આગેવાનો અને બ્રહ્મ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભગવાન પરશુરામની આરતીનો લાભ લીધો હતો.

ભક્તિમય માહોલમાં ઉજવણીમહા આરતી દરમિયાન મંદિર પરિસર ‘જય પરશુરામ’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ ભગવાન પરશુરામના શૌર્ય અને આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજ અને આયુષ્ય સોસાયટીના રહીશો દ્વારા આયોજિત આ કાર્યક્રમે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું. મોટી સંખ્યામાં બહેનો અને યુવાનોએ પણ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ દર્શન-આરતીનો લ્હાવો લીધો હતો.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
