ડૉ. ઝુઝારસંગ એન.સોઢાને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત સન્માનપત્ર એનાયત કરાયું.

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
કેન્દ્ર સરકારના ‘વિકસિત ભારત અભિયાન’ (૧૯૪૭ થી ૨૦૪૭) અંતર્ગત પાટણ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલન (જિલ્લા કક્ષા) માં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ડૉ. ઝુઝારસંગ નાથુસિંગ સોઢાનું રાજ્ય કક્ષાના મંત્રી સરૂપજી ઠાકોર અને વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માનપત્ર અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય વિકસિત ભારતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડી લોકસહભાગીતા મેળવવાનો, છેવાડાના માનવી સુધી આ સંકલ્પને સાકાર કરવાનો તેમજ રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાનો છે. ગુજરાતની ગરિમાથી લોકોને અભિમુખ કરવા તથા લોકકલ્યાણ અને સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ. ઝુઝારસંગ સોઢાએ એક પ્રબુદ્ધ નાગરિક તરીકે આ સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે, જેની સરાહના રૂપે આ પ્રતિષ્ઠિત સન્માનપત્ર તેઓને એનાયત કરવામાં આવ્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શિક્ષણ જગત અને સ્થાનિક અગ્રણીઓ તરફથી તેમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ… સમગ્ર NGES કેમ્પસના કેન્દ્ર સંચાલક ડૉ જય ધ્રુવ અને શાળા પરિવારે અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવેલ.
