Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
ગુજરાત

પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ

Rajeshkumar Jadav
Last updated: June 19, 2026 4:49 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે ફૂલહાર નહીં,નોટબુક થી થશે સન્માન

 

રક્તદાન અને ગૌસેવા સહિતના વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ

Capital message 

ગુજરાત સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય પાટણ પંથકમાં 108ના હુલામણા નામ થી લોકોના દિલમાં પ્રિય બનેલા રણછોડભાઈ દેસાઈ 20મી જૂન શનિવારે 69મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.આ નિમિત્તે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા કોઈ ભપકા વગર સંપૂર્ણપણે સેવામય માહોલમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.દિવસભર પાટણ શહેરમાં રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, દર્દીઓને ફ્રુટ વિતરણ અને ગૌસેવા જેવા વિવિધ જનહિતના કાર્યો હાથ ધરાશે.

દિવસભર યોજનાર કાર્યક્રમોની શરૂઆત શનિવારે સવારે 9 વાગ્યે આનંદેશ્વર મહાદેવ ખાતે પૂજા-અર્ચના અને વૃક્ષારોપણથી કાર્યક્રમોની શરૂઆત થશે.ત્યારબાદ દત્તાત્રેય ગોકુલમમાં ગૌસેવા કરાશે. સવારે 10 વાગ્યે બગેશ્વર મહાદેવ સામે આવેલી સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળ વિતરણ અને બહેરા-મૂંગા શાળાના બાળકોને ભોજન કરાવાશેબપોરે 3 વાગ્યે નવા સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજાશે.દરવર્ષની જેમ આ વર્ષે પણ રણછોડભાઈ દેસાઈએ કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેમનું સ્વાગત ફૂલહાર કે શાલ ઓઢાડીને કરવાના બદલે નોટબુક કે ચોપડા આપીને કરવામાં આવે.આ એકત્રિત થયેલી તમામ શૈક્ષણિક સામગ્રી પાટણ જિલ્લાના જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.જેથી તેમનું શિક્ષણ સુધરી શકે.પૂર્વ મંત્રીના આ પ્રેરણાદાયી અભિગમને પાટણની જનતા બિરદાવી રહી છે. રણછોડભાઈ દેસાઈ એ પાટણ પંથકમાં સૌથી લોકપ્રિય નેતા છે.તેઓ હંમેશા કાર્યકર્તાઓ વચ્ચે રહે છે અને કાર્યકર્તાઓના કોઈપણ કામ માટે હંમેશા ખડેપગે હોય છે.જેના લીધે આજે તેઓ કોઇપણ પદ ઉપર ન હોવા છતાં જ્યારે પણ તેઓ પાટણ આવે ત્યારે કાર્યકર્તાઓ તેમને અચૂક મળવા જાય છે.તેઓ ગાંધીનગરમાં પણ સક્રિય હોય છે.પાટણનો કોઈ પણ કાર્યકર્તા કામ માટે ગાંધીનગર જાય ત્યારે તેમને અવશ્ય યાદ કરે છે.

More Read

ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

ગુજરાત

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

ગુજરાત

શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video