નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!

કેપિટલ મેસેજ, ન્યુઝ
કરનાળીના મા રેવા આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને ભોજન પ્રસાદનો લ્હાવો ડભોઇ/કરનાળી: નર્મદા કિનારે આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ કરનાળી ખાતે આધ્યાત્મિકતા અને માનવ સેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત ‘મા રેવા આશ્રમ’ ના સહયોગથી વડોદરાની સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભક્તિમય વાતાવરણ અને પરિક્રમાનું પુણ્ય વડોદરાની બા શારદા મારુ ઘર’ સેવા સંસ્થા તેમજ છાણીના અશોકભાઈ સોની અને ચૈતન્યભાઈ સોની મિત્ર મંડળ દ્વારા પવિત્ર ‘ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા’ કરવામાં આવી હતી. પરિક્રમા પૂર્ણ કર્યા બાદ, તમામ શ્રદ્ધાળુઓ અને સભ્યો માં રેવા આશ્રમ ખાતે એકત્રિત થયા હતા હનુમાન ચાલીસાના પાઠ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સૌ મિત્ર મંડળે સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું આશીર્વાદ ગ્રહણ: આશ્રમના નિયામક અને સેવાભાવી સંત પૂજ્ય શ્રી રજની બાપુ (રજનીભાઈ પંડ્યા) ના આશીર્વાદ મેળવી સૌએ ધન્યતા અનુભવી હતીસેવા અને આતિથ્યનો લ્હાવો

મા રેવા આશ્રમ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. આ પ્રસંગે પણ આશ્રમ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સવારનો ગરમાગરમ ચા-નાસ્તો.
શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ.
સેવા એ જ પરમો ધર્મઆ સૂત્રને સાર્થક કરતા રજનીભાઈ પંડ્યા (બાપુ) હંમેશા કોઈપણ સેવાકીય કાર્યમાં અગ્રેસર રહે છે. જ્યારે પણ કોઈ ધાર્મિક કે સામાજિક સેવાની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે મા રેવા આશ્રમનો સહયોગ હંમેશા તત્પર રહે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
