ડભોઇ વિશ્વ ચકલી દિવસે અનોખી પહેલ:300થી વધુ ચકલીઘરોનું કરાયું વિતરણ

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એક સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર (APMC) અને શિનોર ચોકડી ખાતે યુવાનો દ્વારા ચકલીઓને ફરીથી ઘરઆંગણે બોલાવવા માટે ચકલીઘર વિતરણનો નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો માર્ગદર્શન વડોદરા જિલ્લા પ્રમુખ ડો. બી. જે. બ્રહ્મભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું
ઉદ્દેશ્ય ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુપ્ત થતી જતી ચકલીઓને આશરો આપવો અને પર્યાવરણનું જતન કરવું વિતરણ અંદાજે 300 જેટલા ચકલીઘરોનું જાહેર જનતાને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતી ઉપસ્થિત મહાનુભાવો:

આ સેવાકીય કાર્યમાં જિલ્લાના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મહેશભાઈ પટેલ (દાજી) – જિલ્લા ઉપપ્રમુખ સતીષભાઈ સોલંકી – જિલ્લા ST મોર્ચા મહામંત્રી વિજયભાઈ દેસાઈ બક્ષીપંચ મોર્ચા મહામંત્રી મુન્નાભાઈ ભરવાડ અને વિજયભાઈ રબારી ચકલી એ આપણા ઘર આંગણાનું પક્ષી છે. બદલાતા સમય અને પાકા મકાનોને કારણે તેમને માળો બાંધવાની જગ્યા મળતી નથી. આ નાના પ્રયાસથી અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના ઘરે આ ચકલીઘર લગાવે જેથી ફરીથી ચકલીઓનો કિલકિલાટ સંભળાય.” – આયોજક ટીમ આ ભગીરથ કાર્યને ડભોઇના નગરજનોએ બિરદાવ્યું હતું અને ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલીઘર રાખવાના શપથ લીધા હતા.
રિપોર્ટ: ફઝલ રઝાક ખત્રી,ડભોઈ
