ડભોઈ તાલુકાના કરનાળી-ચાણોદ બ્રિજ પર જોખમ બેફામ રેતી ખનનથી પાયા દેખાવા લાગ્યા, તંત્રની ઊંઘ ક્યારે ઉડશે

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઈ ગુજરાતમાં એક તરફ ખાણ-ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ પર ત્રાટકવાની મોટી-મોટી વાતો અને ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી, ચાણોદ અને પીપરીયા વિસ્તારમાં સફેદ રેતીનો કાળો કારોબાર બેરોકટોક ધમધમી રહ્યો છે. આ ગેરકાયદે ખનનને કારણે ચાણોદથી કરનાળીને જોડતા મહત્વના બ્રિજના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે.બ્રિજના પાયાના તળિયા દેખાયા: દુર્ઘટનાની દહેશતસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નદીના પટમાંથી બેફામ રીતે રેતી ચોરી કરવામાં આવતા બ્રિજની નીચેથી રેતીનું સ્તર ઘટવા લાગ્યું છે. પરિણામે, બ્રિજના પાયાના તળિયા હવે સ્પષ્ટપણે દેખાવા લાગ્યા છે. જો આ જ ગતિએ ખનન ચાલુ રહેશે, તો રાજ્યના અન્ય જર્જરિત બ્રિજોની જેમ આ બ્રિજ પણ ગમે ત્યારે બંધ કરવાનો કે ધરાશાયી થવાનો વારો આવી શકે તેમ છે.ભૂમાફિયાઓની મોડસ ઓપરેન્ડી (કામ કરવાની પદ્ધતિ) સમયગાળો: તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે ભૂમાફિયાઓ વહેલી સવારે ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન મોટા પાયે મશીનો ઉતારીને ખનન કરે છે

વિસ્તાર: કરનાળી, ચાણોદ અને પીપરીયા જેવા નદીકાંઠાના વિસ્તારોમાં ખનીજ ચોરીનું સામ્રાજ્ય ફેલાયેલું છે.
નુકસાન: માત્ર કુદરતી સંપત્તિ જ નહીં, પરંતુ કરોડોના ખર્ચે બનેલા સરકારી ઓવરબ્રિજને પણ આર્થિક અને માળખાગત રીતે ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
તંત્રની ભૂમિકા સામે સવાલોસમગ્ર ગુજરાતમાં જ્યારે ખાણ-ખનીજ વિભાગની ટીમો રેડ પાડીને પકડધકડ કરી રહી છે, ત્યારે ડભોઈ પંથકમાં ચાલતો આ ‘સફેદ રેતીનો કાળો ખેલ’ કેમ કોઈ અધિકારીને દેખાતો નથી? શું આ ભૂમાફિયાઓને કોઈ રાજકીય કે વહીવટી આશીર્વાદ પ્રાપ્ત છે જનતાનો સવાલ શું અધિકારીઓ કોઈ મોટી જાનહાનિ કે બ્રિજ તૂટવાની ઘટનાની રાહ જોઈ રહ્યા છે? વહેલી સવારના ખનન પર ક્યારે રોક લગાવવામાં આવશે સ્થાનિક રહીશોની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ બાબતે તપાસ થાય અને બ્રિજને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
