ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!

ડભોઇ શહેરમાં મુસ્લિમોના મોહરમ માસના પહેલા ચાંદ થી દસમાં ચાંદ સુધી શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ વિસ્તારના મોહલ્લા ઓમાં ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર મસ્જિરોમાં તકરીર વાયજ નો કાર્યક્રમ યોજાયો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ શહેરની જુમ્મા મસ્જિદ ખાતે ગત રાત્રીના સમયે મૌલાના અનવર અશરફી સાહેબ એ તકરીર ના કાર્યક્રમમાં યાદે સોહદા એ કરબલાની શાનમાં યજુદીઓના લાખોના લશ્કરની સામે કરબલામાં માત્ર 313 ઈમામે હુસૈન સાથે લશ્કરમાં ઇસ્લામ માટે હક અને ઇન્સાફ માટે લડતા લડતા શહીદ થઈ ગયા હતા. અને તેઓની સામે ઝુકયા ન હતા. અને મુસલમાનો માટે શાંતિ અને પ્રેમના સંદેશો આપ્યો હતો.

તેમજ બુરાઈ થી બચવા ખુદાને બંદગી કરવાની અને તેઓને સાદગી પૂર્વક જિંદગી ગુજારી હતી અને જિંદગીભર અલ્લાહની ઈબાદત કરી હતી દુનિયામાં રહેતા તમામ માટે અને અલ્લાહ ને રાજી રાખવા માટે મુસલમાનો એ દુનિયા માટે નહીં પણ અલ્લાહને ખુશ કરવા નમાઝ પઢવી એ મુસલમાનોની પહેચાન છે.ભારત દેશ બિનસામપ્રદાયિક દેશ છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર ઉજવી શકે છે. જુમ્મા મસ્જિદના પેશ ઈમામ અનવર અશરફી એ વધુ મા જણાવ્યું હતું કે ભારત દેશ માં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દુઆ કરી હતી્ આ પ્રસંગે સૈયદ સાદાત અને શહેરના પેશ ઈમામો અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ
