Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર નજીક નર્મદા કેનાલમાંથી પાણીચોરી- કોન્ટ્રાકટર દ્વારા નર્મદા વિભાગની પરવાનગી લીધા વિનાજ સિંચાઈ
ગુજરાત

રાધનપુર નજીક નર્મદા કેનાલમાંથી પાણીચોરી- કોન્ટ્રાકટર દ્વારા નર્મદા વિભાગની પરવાનગી લીધા વિનાજ સિંચાઈ

Rajeshkumar Jadav
Last updated: February 26, 2026 9:09 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર નજીક નર્મદા કેનાલમાંથી પાણીચોરી- કોન્ટ્રાકટર દ્વારા નર્મદા વિભાગની પરવાનગી લીધા વિનાજ સિંચાઈ 

માર્ગ કામમાં સરકારી પાણીનો દુરુપયોગ, ખેડૂતોમાં ભારે રોષ- કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઊઠી

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ પાણીનો ઉપયોગ સરસ્વતી એસોસિયેટ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા રાધનપુરથી જવાહરનગર ગામને જોડતા નવા માર્ગના નિર્માણ કાર્યમાં કરવામાં આવી રહ્યો છે.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

કોન્ટ્રાક્ટરે નર્મદા વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કેનાલમાંથી સીધું પાણી ઉપાડી કામમાં વાપરવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ માર્ગ નિર્માણ માટે પાણીની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે ખાનગી રીતે કરવાની હોય છે, છતાં પોતાની જવાબદારી ટાળવા સરકારી પાણીનો બેધડક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને ૨૪ કલાક સિંચાઈનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા છે, પરંતુ કેનાલમાંથી થતી આ બેફામ પાણીચોરીને કારણે આજુબાજુના ગામોના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. જો આ રીતે સતત પાણી ઉપાડવામાં આવશે તો સિંચાઈ માટે પૂરતું પાણી નહીં મળે તેવી ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાણીની અછત સર્જાશે તો પાક ઉત્પાદન સીધું અસરગ્રસ્ત થશે અને આર્થિક નુકસાન સહન કરવું પડશે.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

ચોંકાવનારી બાબત એ છે કે આટલી ખુલ્લેઆમ પાણીચોરી થતી હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે તંત્રને જાણ હોવા છતાં કાર્યવાહી ન થવી અનેક શંકાઓ ઊભી કરે છે અને જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

આ સમગ્ર ઘટનાને લઈ ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર કડક પગલાં ભરે છે કે પછી ખેડૂતોના હિતો અવગણાશે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ: ૭૦૦ દર્દીઓને વિનામૂલ્ય પોષણ કીટ વિતરણ
Next Article શાંતિ, સુરક્ષા અને સુચારુ આયોજન સાથે પાટણ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video