ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇથી શિરોલા ગામ સુધીના નવા હાઇવેના નિર્માણમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ડભોઇ શહેર તરફનો અડધો કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અધૂરો છોડી દેવાતા વાહનચાલકો અને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્ટેટ હાઇવેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તેમ છેલ્લા એક મહિનાથી કામગીરી બંધ કરી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છેધૂળની ડમરીઓ અને કાંકરાનું સામ્રાજ્ય હાલ આ માર્ગ પર અડધું કામ કરીને છોડી દેવાયું હોવાથી રસ્તા પર માત્ર કાંકરા અને માટી જોવા મળે છે. ભારે વાહનો પસાર થતા જ આખા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડે છે, જેના કારણે દ્વિચક્રી વાહનચાલકોની આંખોમાં ધૂળ જાય છે અને અકસ્માતનો ભય રહે છે.

કાંકરાવાળા રસ્તા પર વાહનો સ્લિપ થવાની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છેયાત્રાધામોને જોડતો મુખ્ય માર્ગ પ્રભાવિત આ માત્ર સ્થાનિક રસ્તો નથી, પરંતુ ડભોઇથી રાજપીપળાને જોડતો મુખ્ય હાઇવે છે વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાણોદ-કરનાળી અને પોઇચા જેવા ધાર્મિક સ્થળોએ જતા હજારો પ્રવાસીઓ આ જ માર્ગનો ઉપયોગ કરે છેયાત્રાળુઓ જ્યારે આ અડધા બનેલા રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તેમને ભારે મુશ્કેલી પડે છે, જેની સીધી અસર પ્રવાસન અને જિલ્લાની છબી પર પડી રહી છેતંત્રની ઊંઘ ક્યારે ઉડશે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જો કામગીરી શરૂ કરવામાં આવી હતી, તો તેને પૂર્ણ કેમ કરવામાં આવતી નથી શું કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યો છેશું સ્ટેટ હાઇવેના અધિકારીઓને જનતાની તકલીફ દેખાતી નથીએક મહિનાથી કામ બંધ હોવા છતાં જવાબદાર અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે જનતાની માંગ: તાત્કાલિક કામ શરૂ કરો
ચોમાસું નજીક આવતા પહેલા જો આ અડધો કિલોમીટરનો ટુકડો પૂર્ણ કરવામાં નહીં આવે, તો સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે. હાલ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને એક જ સવાલ પૂછી રહ્યા છે કે અધૂરો માર્ગ ક્યારે પૂરો થશે તંત્ર વહેલી તકે જાગે અને કોન્ટ્રાક્ટર પાસે બાકી કામ પૂર્ણ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
