ડભોઇ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાની કામગીરી ૫ મહિનાથી ખોરંભે વાહનચાલકોના જીવ જોખમમાં

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇથી રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાના નવીનીકરણની કામગીરી છેલ્લા પાંચ મહિનાથી અધ્ધરતાલ હોવાને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્રની ઘોર બેદરકારીને કારણે આ માર્ગ હવે અકસ્માતનો ડેથ ઝોન’ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અધૂરું કામ અને ખુલ્લા સળિયા: પાંચ મહિના પહેલા શરૂ થયેલું કામ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું છે. નાળાના લોખંડના સળિયા બહાર કાઢેલા હોવાથી રાત્રિના સમયે વાહનચાલકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છેમોટા ખાડાઓનું સામ્રાજ્ય: કેનાલની આસપાસના રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે.

ડભોઇથી રાજપીપળા જતો આ મુખ્ય રસ્તો હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, જેમાં ઘણીવાર વાહનો ખાડામાં ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યા છે.ધાર્મિક સ્થળોનો સંપર્ક માર્ગ: આ રસ્તો જગવિખ્યાત ચાણોદ-કરનાળી અને પોઈચા (નીલકંઠધામ) જેવા પવિત્ર યાત્રાધામોને જોડે છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંથી પસાર થાય છે, જેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છેવાહનચાલકોની પ્રબળ માંગણી સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓની માગ છે કે અટકેલી કામગીરી સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવે.જો કામ શરૂ કરવામાં સમય લાગે તેમ હોય, તો તાત્કાલિક ધોરણે ખાડાઓનું પુરાણ કરવામાં આવે.
રાત્રિ દરમિયાન અકસ્માત નિવારવા માટે રેડિયમ વાળા બોર્ડ અને સાવચેતીના સંકેતો મૂકવામાં આવે.સવાલ એ ઊભો થાય છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે જાગશે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
