પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો.
છેલ્લા 15 દિવસથી સતત ચાલતા આ પાવન મેળામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવની વિશિષ્ટ ઝલક જોવા મળી.

આ મેળામાં ગુજરાતભરથી હજારો દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા. પરમ ભક્તો આયોજકોએ માત્ર ધાર્મિક કાર્યક્રમો જ નહીં, પણ માનવતાના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આરોગ્ય સેવા પણ પૂરું પાડવામાં આવી હતી.
ભારે ભીડ વચ્ચે આરોગ્ય સેવા ખૂબ મહત્વની બની ગઈ. જેમણે જરૂર પડતાં દર્શનાર્થી ઓને યોગ્ય સમયે સારવાર મળી રહે તે માટે સેવાકાર્ય કરવામાં આવ્યું.

મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમી પોલીસ સ્ટેશન દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી. સમી પોલિસ સ્ટેશનના પી.આઈ. એ.પી. જાડેજા, ડી.વાય.એસ.પી. પરેશ રેણુકા, પી.એસ.આઈ. એ.એ. વડગામા, એલ.આઈ. બી.ના જમાદાર લખમણભાઈ તથા સમી પોલિસ સ્ટેશનના સમગ્ર સ્ટાફે સતત ફરજ પર રહી શાંતિપૂર્ણ વાતાવરણ જાળવ્યું.
મેળાની સમાપ્તિ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને સ્ટાફે ખોડિયાર માતાજીને ધજા ચડાવી આશીર્વાદ લીધા હતા.
