રાધનપુર-સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહી છે. રાધનપુર–સાંંતલપુર જુથ પાણી પુરવઠા યોજના નર્મદા મુખ્ય નહેર પર આધારિત છે. રાધનપુર અને સાંંતલપુર તાલુકાના તમામ ગામો તેમજ રાધનપુર શહેરના રહિશોને જણાવવામાં આવે છે કે, રાધનપુર પાણી પુરવઠા કચેરીના સાતુન જળ શુદ્ધિકરણ પ્લાન્ટ (WTP) પર આવશ્યક જાળવણી કામગીરી કરવામાં આવશે. આ કારણે, ૦૫/૦૨/૨૦૨૬ અને ૦૬/૦૨/૨૦૨૬ (બે દિવસ) દરમિયાન ઉચ્ચ દર્શાવના ગામો અને શહેરમાં પીવાના પાણીનો પુરવઠો બંધ રહેશે.
જનતાને વિનંતી કરવામાં આવે છે કે, જરૂરિયાત મુજબ પીવાના પાણીનો જથ્થો પૂર્વે સંગ્રહ કરવો.
જાળવણી કામગીરી પૂર્ણ થયા પછી, ૦૭/૦૨/૨૦૨૬થી સાતુન WTP પરથી પાણી પુરવઠો નિયમિત રીતે પુનઃ શરૂ કરવામાં આવશે. આ માહિતી જાહેર જનતાએ ધ્યાનમાં રાખવાની વિનંતી નાયબ કાર્યપાલક ઇજનેરે કરી છે.