હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું નવીન મકાનનું ભુમી પૂજન કરાયું..

યાર્ડના નવીન ભવનમાં ખેડૂતો માટે ટ્રેનિંગ હોલ અને આરામ ગૃહ બનશે.
કેપિટલ મેસેજ, ન્યુઝ
હારીજ માર્કેટયાર્ડ નું મકાન જૂનું અને જર્જરીત થતા જુના મકાનની બાજુમાં નવીન ભવન બનાવવા માટે નો ભૂમી પૂજન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શાસ્ત્રોક્ત વિધિ દવારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા યાર્ડના નવીન મકાન ભૂમિ પૂજન કાર્યક્રમમાં હારીજ નગર વિકાસમાં રૂ. પાંચ લાખ આપવાની જાહેરાત કરી હતી.નવીન હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અંદાજીત રૂ. ૩ કરોડના ખર્ચે ૩ માળ ધરાવતું આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન મકાન નિર્માણ થનાર છે. આ શુભ કાર્યનું ભૂમિ પૂજન કાર્યક્રમ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી તથા પાટણ જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ સિંધવ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર , દશરથજી ઠાકોર,યાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી,ના વરદ હસ્તે શાસ્ત્રોત મંત્રોચ્ચાર સાથે વિધિવત ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં યાર્ડના ડિરેકટર જીગરભાઈ મહેતા,માનસંગભાઈ ચૌધરી,રામજીભાઈ દેસાઈ ,વેપારીઓ શ્રમિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ નવીન ત્રણ માળ ના ભવનમાં ખેડૂતોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ખેડૂત ટ્રેનીંગ ભવન તેમજ રેસ્ટ હાઉસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ખેડૂતોને માર્ગદર્શન માટે અતિઉપયોગી રહેશે તેમજ આરામ અને પ્રગતિના નવા દ્વાર ખોલશે.
આ પહેલ ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સાબિત થશે.નવીન ભવનની સાથે સાથે 50 લાખ ના ખર્ચે ઓક્શન શેડ 2 ,આરસીસી રોડ અંદાજીત 1.30 કરોડ ના ખર્ચે,બનાવવામાં આવનાર છે જેમાં સરકાર દ્વારા તમામ રકમમાં 25 ટકા સબસીડી મળવાપાત્ર રહેલી છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.આઇ.ઠક્કરે કર્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
